દહેગામ: આ સોસાયટીના લોકોએ બોર્ડ પર જ નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી દીધો, જાણો કારણ
દહેગામમાં આવેલી અતુલ સોસાયટીના રહીશોએ નરેન્દ્ર મોદીનો ફોટો બોર્ડ પર લગાવ્યો છે. સોસાયટીના રહીશો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આજ દિન સુધી સરદાર પટેલ, ગાંધીજી અને બીજા મોટા નેતાઓના ફોટા લગાવતા આવતાં હતાં. જે જૂના સમયના મહાન નેતાઓ છે. પરંતુ આજની પેઢી મોદી જેવા મોટા નેતા છે એટલે તેમને સન્માન આપતાં માટે અમે નરેન્દ્ર મોદીનો ફોટો લગાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદહેગામમાં સોસાયટીના બોર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળ્યો હતો. અતુલ સોસાયટીના રહીશોએ સોસાયટીના બોર્ડમાં જ PM મોદીનો ફોટો લગાવ્યો હતો. PM નરેન્દ્ર મોદીને વર્તમાન સમયના મહાન નેતા ગણાવ્યા છે. તેમજ સ્થાનિકોનું કહેવું છે કે, મોદીજીને સન્માન આપવા તેમનો ફોટો લગાવ્યો છે.
દહેગામ: અત્યાર સુધી લોકો સરદાર પટેલ, ગાંધીજી અને બીજા મોટા નેતાઓના ફોટા લગાવતાં આવ્યા છે. તે નેતાઓ જૂના સમયના મહાન નેતાઓ છે પરંતુ હવે વડાપ્રધાન નરેદ્ર મોદીનો જમાનો આવ્યો હોય તેવું ગુજરાતના દહેગામની સોસાયટીને જોતાં લાગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -