વધારે ફી લેનારી ખાનગી સ્કૂલોને ગુજરાત સરકારે આપી શું ચીમકી, જાણો વિગતો
ચૂડાસમાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ તેની સ્પષ્ટતા કરશે. ફી નિર્ધારણ કમિટી દ્વારા સ્વનિર્ભર પ્રાથમિક સ્કૂલોને સ્વતંત્ર રીતે વધુમાં વધુ 15 હજાર રૂપિયા અને માધ્યમિક સ્કૂલોને 25 હજાર રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને રૂ. 27 હજાર ફી વસૂલવાની મંજૂરી અપાઈ છે.
વાલીઓને પણ ચુડાસમાએ જણાવ્યું હતું કે તેઓ ત્રિમાસિક ફીથી વધારે ફી ભરે નહીં. સંચાલક અને વાલીના પ્રતિનિધિની એક કમિટી બનશે. નવા શૈક્ષણિક સત્રથી જ નિર્ણય લાગુ પડશે. વાલી ફી નહીં ભરે તો પણ સંચાલકે બાળકનું પરિણામ આપવું પડશે જ.
ફી સુધારા વિધેયક પર ભૂપેદ્રસિંહ ચુડાસમાએ કડક શબ્દોમાં કહ્યું કે જો સંચાલકો રાજ્ય સરકારના નિયમોનું પાલન નહીં કરે તો પહેલી વખત 5 લાખ, બીજી વખત 10 લાખ અને ત્રીજી વખતમાં શાળાની માન્યતા રદ કરી દેવાશે. શાળા ફી બાબતનું સુધારા વિધેયક મધ્યમવર્ગના વાલીઓને ધ્યાનમાં રાખીને પસાર કરાયું છે તેમાં કોઇ જ ફેરફાર થશે નહીં. સરકાર પોતાના નિર્ણય પર અડગ જ રહેશે.
ચુડાસમાએ પ્રેસ કોફરન્સને સંબોધતા કહ્યુ હતું કે શાળાઓ સરસ્વતીનું મંદિર છે કોઈ વેપારનું ધામ નથી. આ વિદ્યાનું મંદિર છે નેતાગીરીનું સાધન નથી. નિવૃત ડિસ્ટ્રીક્ટ જજના વડપણ હેઠળ કમિટી પણ નક્કી થશે. તેમાં વાલીઓ અને સંચાલકોનો પણ સમાવેશ કરાશે. આ વિધેયકનો અમલ નવા સત્રથી જ થઇ જશે. જેનું સંચાલકોએ ફરજીયાત પાલન કરવું જ પડશે.
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ફી વધારા મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેના પગલે શિક્ષણવિભાગે સ્કૂલ સંચાલકો સામે લાલ આંખ કરી છે. ભુપેદ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વિધાનસભામાં ફી સુધારણા વિધેયક પસાર કર્યું છે અને હાલ રાજ્યપાલ પાસે આ બીલ સહી માટે પહોંચી ગયું છે.
ગાંધીનગરઃ રાજ્યમાં ખાનગી સ્કૂલોના સંચાલકો દ્ધારા મનફાવે તે રીતે ફી વધારો વસૂલવવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી ત્યારે સરકારે ખાનગી સ્કૂલોની ફી પર નિયંત્રણ લાવવા બિલ પસાર કર્યું છે. જોકે, તેમ છતાં કેટલીક સ્વનિર્ભર સ્કૂલોના સંચાલકોએ એકસાથે આખા વર્ષની કે પછી જૂની ફીમાં પણ ફીવધારો કરીને ફી વસૂલવાની શરૂઆત કરી દીધી હોવાની ફરિયાદ ઊઠી છે. ત્યારે રાજ્ય સરકારે કહ્યુ છે કે, જે સ્કૂલ વધારે ફી લેશે. તેણે વાલીઓને બમણી ફી પરત આપવી પડશે. ફી વધારા નિયંત્રણ પર સરકાર મક્કમ થઇ છે.