ગાંધીનગરઃ પરિણીતાને યુવક સાથે બંધાયા સંબંધ, બંનેએ લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો વિગત
શૈલેષ અને દક્ષાબેન પરિણીત છે. દક્ષાબેનને ચાર વર્ષનો પુત્ર છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો, પરંતુ સમાજના ડરથી ગત શનિવારે ઘરેથી નિકળી કેનાલમાં ઝંપલાવ્યુ હોવાનું અનુમાન છે. હાલ પોલીસે આ અંગે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંનેની લાશને પીએમ માટે મોકલી દીધી છે.
આ અંગેની વિગત એવી છે કે, ગાંધીનગર પાસે નર્મદા મુખ્ય કેનાલમાં પ્રેમીપંખીડાની લાશ તરતી હાલતમાં પડી હોવાની જાણ પોલીસને થઈ હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને લાશને બહાર કાઢવામાં આવી હતી. જે લાશ વાસણા રાઠોડ ગામનાં શૈલેષજી કલાજી ઠાકોર ઉ.વ.20 તેમજ દક્ષાબેન દિલીપજી ઠાકોર ઉ.વ.22 ની હોવાની ઓળખ થઇ હતી.
દહેગામઃ દહેગામ તાલુકામાં હરસોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતીની હાથ રૂમાલથી બાંધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ બંને યુવક-યુવતી પરણીત હોવાનું અને પ્રેમસંબંધમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સમાજ સ્વીકાર નહીં કરે તેના ડરથી આપઘાત કર્યો હતો.