રાજ્યના પાંચ આઈએએસ અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
સંજય નંદન 1988ની બેચના આઇએએસ અધિકારી છે. ગુજરાત સ્ટેટ વ્હેર હાઉસિંગ કોર્પોરેશનના એમડીનો ચાર્જ સંભાળતા સંજય નંદનને આ પદે કાયમી કરાયા છે. આ ઉપરાંત કૃષિ, કિશાન કલ્યાણ અને સહકારી વિભાગમાં તેમની સેવાઓ લેવાશે. સી.વી. સોમ પ્રિન્સિપલ સેક્રેટરી (હાઉસિંગ અને નિર્મળ ગુજરાત, શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ)ને પ્રિન્સિપલ સેક્રેટરી (એનઆરઆઇ અને આર્ટ) તરીકે નિમાયા છે.
ગાંધીનગરઃ રાજ્યાના પાંચ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓમાં ડી. એન. પાંડે, સંજય નંદન, સી. વી. સોમ, મુકેશ કોરી અને કે. ડી. ચંદાણીનો સમાવેશ થાય છે. ડી.એન. પાંડે 1985ની બેચના આઇએએસ અધિકારી છે. તેમને પર્ન્સન્સ વીથ ડિસએબીલિટીઝ, ગાંધીનગરના કમિશનર બનાવાયા છે.
મુકેશ પુરી પ્રિન્સિપલ સેક્રેટરી (શહેરી વિકાસ અને શહેરી આવાસ)ને હાઉસિંગ અને નિર્મળ ગુજરાતનો વધારાનો ચાર્જ સોંપાયો છે. કે.ડી. ચંદનાની જોઇન્ટ કમિશ્નર (રિહેબિલિટેશન અને ડિરેક્ટર,જીઆરસી, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી)ને આ જ એજન્સીનો સીઇઓનો વધારોનો ચાર્જ સોંપાયો છે.