ગુજરાતમાં ફરી પાટીદાર આંદોલન થશે શરૂ, કયા પાટીદાર આગેવાને સરકારને આપી ચિમકી, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન વખતે એસપીજીના લાલજી પટેલે કહ્યું હતું કે, સરકારે અમારી પર ખોટા કેસ કર્યા છે અને અમારી પર ખોટી કલમો લગાડવામાં આવી છે. આ તમામ કેસ પાછા ખેંચવા માટે સરકારે ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર દ્વારા પાટીદારો પરથી તમામ કેસ પાછા ખેંચવા માટે ખાતરી આપવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત સરકાર દ્વારા હજુ સુધી અનામત માટે સર્વેની પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેથી હવે પાટીદારોમાં રોષ જોવા મળ્યા છે.
ત્યારે હવે ફરી એસપીજીના લાલજી પટેલે સરકારને આંદોલનની ચિમકી આપતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. લાલજી પટેલે સરકારા દ્વારા આપવામાં આવેલાં વચનો પુરા નહીં કરવામાં આવે તો ગુજરાતમાં ફરીથી આંદોલન કરવાની ચિમકી આપી છે.
જો સરકાર આ વચનો પુરા નહીં કરે તો ગુજરાતમાં ફરીથી આંદોલન કરવામાં આવશે અને જેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. છેલ્લા ઘણાં સમયથી પાટીદારો દ્વારા અનામત માટે કરાતું આંદોલન શાંત થઈ ગયું છે.
આ સંજોગોમાં ભાજપના વિશ્વાસભંગ સામે એસપીજીએ ફરી આંદોલન કરવાની ચિમકી આપી છે. લાલજી પટેલે ગુજરાત સરકારને પત્ર લખી જણાવ્યું છે કે, સરકાર પાટીદારો સામે કેસ પાછા ખેંચવાના વચનોમાંથી ફરી ગઈ છે.
લાલજી પટેલે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારે પાટીદારોને આપેલા વચન પૂરા કર્યા નથી. લાલજી પટેલે કહ્યું હતું કે, સરકારે પાટીદાર આંદોલન દરમિયાન કરવામાં આવેલા તમામ કેસ પરત ખેંચવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી તમામ કેસ પાછા ખેંચવામાં આવ્યા નથી.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. જ્યારે લાંબા સમયથી શાંતિ પછી ગુજરાતમાં પાટીદાર આંદોલન ફરી સક્રિય બને તેવી શક્યતાઓ છે. આ સંકેત આપતાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ગુજરાતમાં ફરીથી આંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -