આનંદીબેને કેમ મુખ્યમંત્રીપદ છોડેલું ? ભૂપેન્દ્રસિંહે કરી શું સ્પષ્ટતા ?
ચુડાસમાએ સ્પષ્ટતા કરી કે, આનંદીબેન પટેલે મુખ્યમંત્રીપદ સ્વૈચ્છિક રીતે છોડ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 વર્ષની વય થાય ત્યારે હોદ્દા નહીં લેવા કરેલી અપીલને માન આપેની તેમણે નિવૃત્તિ અંગે સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો. ભૂપેન્દ્રસિંહએ કોમેન્ટ પણ કરી કે, કોંગ્રેસ તો 82 વર્ષનાં શીલા દિક્ષિતને લઈ આવી છે.
વિધાનસભા ગૃહમાં પ્રશ્નનો જવાબ આપવા ઉભા થયેલા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિશ્વ મહિલા દિવસ સંદર્ભે એવું કહ્યું હતું કે, ભાજપે આનંદીબેન પટેલને ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનાવી ઈતિહાસ રચ્યો હતો. તેની સામે કોંગ્રેસના સભ્યોએ કોમેન્ટ કરી હતી કે, રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રીને પણ ભાજપે જ હટાવ્યાં.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસની કોમેન્ટનો જવાબ આપતા જણાવ્યું હતું કે આનંદીબેન પટેલને ભાજપે મુખ્યમંત્રી બનાવ્યાં હતાં. આનંદીબેન પટેલને ભાજપે મુખ્યમંત્રીપદેથી દૂર કર્યાં એ ભાજપની આંતરિક બાબત છે અને તેની કોગ્રેસે ચિંતા કરવાની જરૂર નથી. કોંગ્રેસના સભ્યોએ તેનો જવાબ આપતાં હોહા થઈ હતી.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે વિશ્વ મહિલા દિનના ઉલ્લેખમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ઉલ્લેખ થતાં ગરમીનો માહોલ થઈ ગયો હતો. આ માહોલ વચ્ચે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એવી ટીપ્પણી કરી હતી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે વયમર્યાદાને કારણે મુખ્યમંત્રી પદ છોડ્યું છે.