✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેશુભાઈ પટેલને સાંત્વના આપવા આવ્યા જીતુ વાઘાણી, જાણો સાથે કોણ-કોણ હતું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2018 08:11 PM (IST)
1

રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઈ પટેલનું રવિવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા દુઃખદ નિધન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઈ ઘણા લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે કારખાનુ હતું જે બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યુ હતું અને સેવાકીય પ્રવૃતિઓ કરતા હતા. જગદીશભાઈ પટેલનું ગુરૂવારે રાજકોટની આત્મીય કોલેજમાં બેસણું રાખવામાં આવ્યું છે.

2

ઉલ્લેખનીય છે કે કેશુભાઈના પુત્ર પ્રવિણભાઇ પટેલનું પણ ગત વર્ષે ૮ સપ્ટેમ્બરના રોજ દુઃખદ નિધન થયેલ. કેશુભાઈના તમામ પુત્રો ઓશો સન્યાસી છે. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર સાથે તેઓનો વર્ષો જૂનો અતૂટ નાતો રહેલો છે. કેશુબાપાના ૫ પુત્રો અને ૧ પુત્રી છે. જેમાં સૌથી મોટા સ્વ.જગદીશભાઈ, સ્વ.પ્રવિણભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, અશોકભાઈ છે તેમજ બહેન સોનલબેન જેઓ અમદાવાદ રહે છે.

3

ગાંધીનગરઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના જયેષ્ઠ પુત્ર જગદીશભાઈનું અવસાન થતાં તેમને સાંત્વના પાઠવવા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘણી કેશુભાઇના નિવાસસ્થાને પહોંચ્યા હતા. વાઘાણીની સાથે ભીખુભાઇ દલસાણિયા, પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પણ હતા. આ તમામે બાપાને મળીને તેમને સાંત્વના પાઠવી હતી.

4

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઈ પટેલ ઓશો સન્યાસી હતા. તેઓનું ઉપનામ સ્વામી દેવતીર્થ ભારતી હતું. રાજકોટના મવડી પ્લોટ ખાતે કારખાનુ હતું તે વર્ષ 2012ના ફેબ્રુઆરીમાં બંધ કરી ઓશો સેન્ટર શરૂ કરેલું. જેનું ઉદ્દઘાટન સુફી મા માસ્ટર મા પ્રેમ નઝીલા દ્વારા કરવામાં આવેલ અને આ ઓશો સેન્ટરનું નામ 'ઓશો આનંદ ધામ ધ્યાન મંદિર' રાખ્યું હતું.

  • હોમ
  • ગાંધીનગર
  • કેશુભાઈ પટેલને સાંત્વના આપવા આવ્યા જીતુ વાઘાણી, જાણો સાથે કોણ-કોણ હતું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.