ભાજપે કેટલા પાટીદારોને આપી ટિકીટ ? જાણો કઈ બેઠક પરથી લડશે આ પાટીદારો ?
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલી ભાજપે 70 બેઠકોમાંથી 15 પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે. અહીં ટિકિટ મેળવનારા પાટીદાર ઉમેદવારોની યાદી રજૂ કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડશે. તે સિવાય ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગર પશ્વિમ બેઠક પરથી ચૂંટણી લડશે.
તે સિવાય દસક્રોઈ બેઠક પર બાબુ જમના પટેલને ટિકિટ આપવામાં આવી છે. વઢવાણ બેઠક પરથી ધનજીભાઈ પટેલ, જસદણ બેઠક પરથી ભરતભાઈ બોઘરા, જેતપુર બેઠક પરથી જયેશ રાદડિયા ચૂંટણી લડશે.
ઉપરાંત અમરેલી બેઠક પરથી બાવકુ ઉંધાડ, સોજિત્રા બેઠક પરથી વિપુલ પટેલ, માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલ, પાદરા બેઠક પરથી દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તે સિવાય કરજણ બેઠક પરથી સતીશભાઈ પટેલ, સુરત વરાછા રોડ બેઠક પરથી કુમાર કાનાણી ચૂંટણી લડશે.
જામજોધપુર બેઠક પરથી ચીમન સાપરિયા, જામનગર ગ્રામીણ બેઠક પરથી રાઘવજી પટેલ, ધારી બેઠક પરથી દીલિપભાઈ સંઘાણી ચૂંટણી લડશે.