જસદણ પેટાચૂંટણી પહેલા ગુજરાત સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે લાભ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Dec 2018 12:14 PM (IST)
1
ગ્રામ્ય વિસ્તારમાં આવતા કૃષિલક્ષી, ઘરવપરાશ અથવા વાણિજ્ય જોડાણ તમામને આ નિર્ણયોન લાભ મળશે. શહેરો માં બી પી એલ લાભાર્થી ને જ આ સ્કીમનો લાભ મળશે. ગ્રામ્ય વિસ્તારમાં 6 લાખ 22 હજાર વીજ કનેક્શનના 650 કરોડના વીજ બિલ માફ થશે.
2
ગુજરાત સરકારે ખેડૂતોના વીજ બીલ માફ કરવાની જાહેરાત કરી છે. વીજ ચોરી, લોડ વધારા, મીટર રીડિંગની સમસ્યામાં વીજ કનેશન કપાયા હોય એવા કિસ્સા આ વીજ બીલ માફ કરવામાં આવશે. આ માટે ખેડૂતોએ 28 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવી પડશે.
3
ગાંધીનગરઃ 20 ડીસેમ્બરે જસદણ પેટા ચૂંટણી માટે મતદાન થશે. મતદાન પહેલા આજે પ્રચારનો અંતિમ દિવસ હોઈ બન્ને પક્ષ લોકોને આકર્ષવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે ત્યારે ગુજરાતની ભાજપ સરકારે મતદાતોને આકર્ષવા માટે મોટી જાહેરાત કરી છે.