પ્રાંસલાની શિબિરમાં મોતને ભેટેલી વિદ્યાર્થિનીઓના પરિવારને કેટલા રૂપિયાની સહાય કરશે સરકાર?
મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું છે કે, પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરમાં લાગેલી આગના કારણે ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું. રાજ્ય સરકાર અને વહીવટીતંત્રએ સતર્ક રહીને પરિસ્થિતિને કાબુ હેઠળ લઇ લીધી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં શુક્રવારની રાત્રે અચાનક આગ લાગતાં ત્રણ વિદ્યાર્થિનીઓના મોત થયા છે, જ્યારે 15 જેટલી કિશોરીઓ દાઝી છે. આ ઘટનાને અંગે મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ મૃતક વિદ્યાર્થિનીઓના પરિવારને આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે.
પ્રાંસલામાં લાગેલી આગમાં મોરબીની કૃપાલી અશોકભાઈ દવે, સાયલા તાલુકાની વનિતા જમોડ અને જસદણના આંબેડી ગામની કિંજલ અરજણભાઇનું મોત થયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાંસલામાં શિબિર દરમ્યાન થયેલી આગની દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજકોટ કલેક્ટર ને આદેશો આપ્યા છે.
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી 3 શિબિરાર્થી દીકરીઓ પ્રત્યે સંવેદના વ્યક્તિ કરી તેમના પરિવારજનોને મુખ્યમંત્રી રાહતનિધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે આ આગની ઘટનાની જાણકારી મળતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને બચાવ અને મદદ માટે સતર્ક કર્યું હતું અને વિગતવાર માહિતી મેળવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -