Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
ગુજરાત સરકારે ફિક્સ પગારદારો માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો મળશે ક્યો લાભ?
ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન આવા કોઈ ખર્ચ અંગે બજેટમાં જોગવાઈ ન હોવાથી આગામી નવા વર્ષ 2017-18ના બજેટ પહેલા પુરક બજેટમાં ખર્ચ આકારી નવા બજેટમાં નવી યોજના તરીકે જાહેર કરવાની વ્યવસ્થા કરી લેવાની સુચના સાથે ફિક્સ પગારદારોનો રોષ ઠારવા સરકારે આ યોજના લૉંચ કર્યાનું મનાઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે જે રીતે મા-વાત્સલ્ય યોજના ચાલે છે તે જ પેર્ટન મુજબ ફિક્સ પગારદારો અને તેમના પરિવારજનોને રૂપિયા બે લાખ સુધીની મર્યાદામાં ગંભીર રોગોની સારવારનો ખર્ચ મા-કર્મયોગીવ યોજના હેઠળ માફ કરવામાં આવશે.
ફિક્સ પગારદારોને સમાન કામ-સમાન પગારના સિદ્ધાંતો હવે તો 7મા પગારપંચ મુજબ પગાર વત્તા ભથ્થા અને અન્ય સવલતો આપવા સુપ્રીમકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે હવે પછીની સૂનવણીના બે સપ્તાહ પૂર્વે અચાનક જ ગુરુવારે બપોરે નાણા વિભાગે ‘મા કર્મયોગી’ યોજનાનો ઠરાવ પ્રસિદ્ધ કરીને તેને ચૂસ્ત અમલ કરવા તમામ વિભાગોને આદેશો કર્યો છે.
ગાંધીનગર: સુપ્રીમ કોર્ટમાં 10 જાન્યુઆરીએ ફિક્સ પગારદારો મુદ્દે સૂનવણી થાય તે પહેલા જ ગુજરાત સરકારમાં પાંચ વર્ષના બાંધ્યો પગાર કાયમી ભરતીથી નિયુક્ત થયેલા લાખો કર્મચારીઓ માટે મુખ્યમંત્રી અમૃતમ-મા યોજના અંર્તગર્ત ખાસ કિસ્સામાં મા- કર્મયોગી યોજનાનું લૉંચિંગ કરવામાં આવ્યું છે.
ઠરાવમાં સૂચવ્યા મુજબ ‘મા કર્મયોગી’નો લાભ નિયમિત ભરતી પદ્ધતિથી નિમાયેલા ફિક્સ પગારના કર્મચારીઓને તેમના ફિક્સ પગારદારોના સમયગાળા એટલે કે પાંચ વર્ષના કાર્યકાળ માટે જ મળશે. તેને લગતી તમામ વહીવટી કાર્યવાહી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કરવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -