માતૃભાષાને જીવંત રાખવા ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ધોરણ 8 સુધી ફરજીયાત કરાશે ગુજરાતી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Feb 2018 10:17 AM (IST)
1
સરકારના કહેવા પ્રમાણે, આ શાળાઓમાં સેકંડ અથવા થર્ડ લેગ્વેજ તરીકે ગુજરાતી વિષયને ફરજિયાત કરવામાં આવશે. GCERT આ મામલે દરખાસ્ત મુકશે ગાંધીનગર શિક્ષણ વિભાગની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
2
ગાંધીનગરઃ રાજ્યમાં ગુજરાતી ભાષાનું મહત્વ જળવાઇ રહે તે માટે ગુજરાત સરકાર દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત બહારના અને CBESC સહિત સંલગ્ન શાળોઓમાં ધોરણ 1થી 8માં ગુજરાતી વિષય ફરજિયાત કરવાના સંકેત આપ્યા હતા.
3
માતૃભાષાનુ મહત્વ પુન: પ્રસ્તાપિત થાય તે માટે આગામી શૈક્ષણિક સત્રથી તમામ શાળાઓમાં ધો.8 સુધી ગુજરાતી વિષય ફરજીયાત કરવાનો રૂપાણીએ સંકેત આપ્યો હતો. નોંધનીય છે કે 80 લાખથી વધુ બાળકો 34 હજાર સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવી રહ્યા છે. જ્યારે 3 લાખથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ ફરજ બજાવે છે.