હવે રેશનિંગની દુકાને અનાજની સાથે-સાથે રેલવે, બસ, એર ટિકિટ પણ મળશે, જાણો શું છે સરકારની યોજના
પાસવાને 19મી જાન્યુઆરીએ દેશમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં કેશલેસ સિસ્ટમ સ્થાપિત કરવા તમામ રાજ્યોના અન્ન-નાગરિક પુરવઠા મંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં મોટા ભાગનાં રાજ્યો 31 માર્ચ સુધીમાં કેશલેસ વ્યવસ્થા ઊભી કરવા સંમત થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્ર સરકારની યોજનાઓ માટે ખેડૂત સોઇલ હેલ્થ કાર્ડ અને રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્ય સરકાર દુકાનો મારફતે વિદ્યાર્થીઓ માટે માસિક બસ મુસાફરીના પાસ અને વીજળીનાં બિલની ચુકવણીની વ્યવસ્થા પણ ગોઠવવા જઇ રહી છે. કોઈ પણ વ્યક્તિ એફપીએસ પર કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વાપરી શકશે.
ગુજરાતે સસ્તા અનાજની દુકાન મારફતે 30 ડિજિટલ સેવાઓ પૂરી પાડી ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કોમન સર્વિસ સેન્ટર્સ સાથે ભાગીદારી કરીને ઝડપથી કામગીરી કરી છે. હવે ગ્રાહકો દુકાન પર રેલ, એર અને બસ ટિકિટનું રિઝર્વેશન, મોબાઇલ બિલની ચુકવણી, ખેડૂત પાક વીમાનું પ્રીમિયમ, એલઆઇસી પ્રીમિયમ ભરી શકશે.
મહત્ત્વની વાત એ છે કે હવે રેશનિંગની દુકાનોમાંથી એર,બસ, રેલવે ટિકિટ બુકિંગથી લઇને વીમા પ્રીમિયમ ચુકવણી સહિતની 30 ઓનલાઇન સેવાઓ ઉપલબ્ધ થશે. એનએફએસએ હેઠળ લાભાર્થીઓને ગુજરાતમાં તેનું અનાજ મેળવવા આધાર કાર્ડ રજૂ કરવાની જરૂર પડશે. તેનાથી લાભાર્થીની ઓળખ સ્થાપિત થશે, જે દુકાનના સ્તરે અનાજનું લીકેજ અટકાવવામાં મદદરૂપ થશે અને ભ્રષ્ટાચાર નાબૂદ થશે.
ગાંધિનગરઃ ગુજરાતની 17250 વ્યાજબી ભાવની દુકાનોમાં આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. આ વ્યવસ્થા શરૂ થતા જ ગુજરાત જાહેર વિતરણ વ્યવસ્થામાં કેશલેસ સિસ્ટમ કાર્યરત કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ સિસ્ટમ અંતર્ગત રાજ્યના 3.79 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -