મંત્રીઓના પીએ-પીએસ નિમાયા, નીતિન પટેલ-ભૂપેન્દ્રસિંહના પીએ-પીએસ તરીકે કોની થઈ નિયુક્તિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Feb 2018 06:14 PM (IST)
1
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના બે અંગત સચિવ શ્રી ડી. જી. મહેતા અને ડોડીયા યથાવત રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારને ત્યાં અધિક સચિવ આર. ઇ. જોષી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની કચેરીમાં મનોજ પટેલ, ગણપત વસાવાને ત્યાં મેહુલ પંડ્યા અને ડામોર તથા ઉર્જા મંત્રી સૌરભ પટેલને ત્યાં વાય. પી. જોષીની નિમણુક થયાનું જાણવા મળે છે.
2
આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણીના કાર્યાલયમાં ડે. કલેકટર જે. વી. વદરની અને સમાજ કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીરના કાર્યાલયમાં વી. કે. જોષીની નિમણુંક થઇ છે.
3
ગાંધીનગરઃ રાજ્ય સરકારે મંત્રીઓને અંગત મદદનીશ અને અંગત સચિવોની નિમણુકનો દોર શરૂ કર્યો છે. મુખ્યમંત્રીના સ્ટાફમાં કોઇ ખાસ ફેરફાર નથી. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પી.એસ. તરીકે વિરેન્દ્ર પંડ્યા અને પી. એ. તરીકે દશરથભાઇ પટેલ યથાવત રહ્યા છે.