✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મંદિર માટે 150 કરોડ ભેગા કરો એ મુર્ખાઓનું કામ કહેવાય? આવું ક્યા દિગ્ગજ પાટીદાર નેતાએ કહ્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Aug 2018 09:52 AM (IST)
1

મંદિરમાં નાખવા કરતા 150 કરોડ સમાજના યુવાનોને રોજગારી-નોકરી આપવા પાછળ ખર્ચ કરવામાં આવે તો પાટીદારોની આવનારી પેઢી સુખેથી રહી શકે. હાર્દિક પટેલના ઉપરોક્ત સંબોધનથી એક સમયે સોંપો પડી ગયો હતો. જોકે ત્યારબાદ તેણે પાટીદાર સન્માનની વાત પર લોકોને વાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આપણે પૈસાની જરૂર નથી પરંતુ સન્માન સાથે જીવી શકાય તેવી નોકરી અને ભણતરની જરૂર છે.

2

ઉપવાસ આંદોલનને સફળ બનાવવા માટે હવે હાર્દિકે લોકોનું સમર્થન મેળવવા મીટિંગોનો દોર શરૂ કરી દીધો છે. રવિવારે ગાંધીનગર, હિંમતનગર તાલુકાના હળીયોલ ખાતે તેમજ મોડી સાંજે અરવલ્લી ખાતે હાર્દિકે તમામ સમાજના ખેડૂત આગેવાનો, આંદોલનકારીઓ સાથે બેઠકો યોજી હતી.

3

સમાજમાં દર 25 વર્ષે ક્રાંતી આવતી હોવાનું જણાવી હાર્દિક પટેલે સરદાર વલ્લભભાઇ પટેલ, ચિમનભાઇ પટેલ અને કેશુભાઈ પટેલ સુધીના પાટીદાર આગેવાનોનો સમય ગણાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ઉપરોક્ત પાટીદાર આગેવાનોને તેમના સમયમાં પાટીદારોનો ટેકો મળ્યો નહતો. સરદારને કરમસદના પાટીદારોએ ટેકો આપ્યો નહતો. ચિમનભાઇ વખતે પણ ટેકો મળ્યો નથી અને કેશુભાઇ વખતે આપણે જ તેઓને હટાવ્યા હતા. આંદોલનોને તોડવા આપણા લોકો જ કામ કરે છે.

4

અમદાવાદ: અમદાવાદના આંગણે ઉમિયા માતાનું અદભુત મંદિર બની રહ્યું છે જેના માટે થોડા દિવસ પહેલા ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિર બનાવવા માટે 3 કલાક 150 કરોડ રૂપિયાનું દાન આવ્યું હતું. જોકે આ અંગે પાટીદાર આગેવાન હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મંદિર માટે ત્રણ કલાકમાં 150 કરોડ ભેગા કરો એ મારી દ્રષ્ટિએ મુર્ખાઓનું કામ કર્યું કહેવાય. આ ઉપરાંત ભાજપ પર પ્રહારો પણ કર્યા હતાં.

5

ગાંધીનગરમાં હાર્દિકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પાંચ દસ પાટીદારો પૈસાપાત્ર હોય તો સમગ્ર પાટીદાર સમાજ સુખી ન ગણાય. ભલે માતાજીનું મંદિર બનાવે, સારી વાત છે, પણ ત્રણ કલાકમાં 150 કરોડ ભેગા કરે એટલે મારી દ્રષ્ટિએ મુર્ખાઓનું કામ કર્યું કહેવાય.

6

હાર્દિક પટેલ રવિવારે પાસના અન્ય આગેવાનો સાથે રૂપાલ આવ્યો હતો જ્યાં તેણે વરદાયીની માતાજીના મંદિરે દર્શન કરી પાટીદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેણે ઉપરોક્ત ઉચ્ચારણ કર્યું હતું. તાજેતરમાં જ પાટીદાર સમાજે ગણતરીની કલાકોમાં જ સમાજ સંકુલ અને મંદિર માટે કરોડો રૂપિયા એકત્ર કર્યાં હતા. આ બાબતને હાર્દિકે આડકતરી રીતે વખોડી કાઢી હતી.

  • હોમ
  • ગાંધીનગર
  • મંદિર માટે 150 કરોડ ભેગા કરો એ મુર્ખાઓનું કામ કહેવાય? આવું ક્યા દિગ્ગજ પાટીદાર નેતાએ કહ્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.