✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નરેન્દ્ર મોદી ડીસેમ્બરમાં જ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Dec 2018 11:15 AM (IST)
1

આ વનનું 21 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. વિશ્વ વન 2 એકરમાં વિકસાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા નર્સરી પણ બનાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને ફૂલોના છોડ રાહત દરે મળશે.

2

ભાજપના મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન પહેલાં ગાંધીનગર ખાતે યોજવાનું નક્કી કરાયું હતું. આ અધિવેશન નિયત કાર્યક્રમ પ્રમાણે બે દિવસ માટે 21 અને 22 ડીસેમ્બરે જ યોજાશે પણ મોદીની મુલાકાતને અનુલક્ષીને તેનું સ્થળ બદલાયું છે. હવે તેનું આયોજન વડોદરા ખાતે કરવાનો આખરી નિર્ણય લેવાયો છે.

3

મોદી 21 ડીસેમ્બરે ગુજરાત આવી જશે અને દેશભરનાં રાજ્યોના પોલીસ વડાઓની ડી.જી. કોન્ફરન્સમાં ભાગ લેશે. એ જ દિવસે કેવડીયા ખાતે ઉભા કરાયેલા વિશ્વ વનનું લોકાર્પણ કરશે. 22 ડીસેમ્બરે મોદી વડોદરામાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહમા હાજરી આપશે અને સમાપન સંબોધન કરશે.

4

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મોદી આગામી 21 અને 22 ડીસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તે પહેલાં કેવડિયા ખાતેના સરદાર સરોવર ડેમની મુલાકાતે જશે અને ત્યાર પછી વડોદરામાં ભાજપ મહિલા મોરચાના કાર્યક્રમમા હાજર રહેશે.

5

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા મોરચાના અધિવેશનના સમાપન સત્રને સંબોધવા વડોદરા આવશે.કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રૂપિયા 1.14 કરોડના ખર્ચે વિશ્વ વન બનાવવામાં આવ્યું છે. આ વિશ્વ વનમાં દુનિયાના સાત ખંડમાંથી, જે તે ખંડની વિશેષતાવાળાં વૃક્ષો લાવીને વાવેતર કરાશે.

  • હોમ
  • ગાંધીનગર
  • નરેન્દ્ર મોદી ડીસેમ્બરમાં જ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.