ફિક્સ પગારદારોના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં છે સુનાવણી, જાણો શું આવી શકે છે નિર્ણય
સુપ્રીમ કોર્ટ ફિક્સ પગારદારો માટે જાહેર કરાયેલા આ પગાર ધોરણને માન્ય ના રાખે અને તેમને કાયમી કર્મચારીઓના પગારધોરણનો લાભ આપવા આદેશ આપી શકે. સાથે સાથે કર્મચારીઓને તેમની ફિક્સ પગારની નોકરીમાં જોડાવાની તારીખથી પગારવધારો આપવાનો આદેશ પણ આપી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે ગુજરાતના ફિક્સ પગારદારોના કેસને રાજસ્થાનના કેસ સાથે જોડી દીધો છે. ગુજરાતના ફિક્સ પગારદારો માટે આ સુનાવણી મહત્વની છે કેમ કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલો ફિક્સ પગારદારોના પગારમાં વધારો અને બીજા લાભો અંગે સુપ્રીમ કોર્ટ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. સુપ્રીમ તેના પર મંજૂરીની મહોર મારે છે કે નહીં તે જોવાનું રહે છે.
ફિક્સ પગારદારોની સિનિયોરીટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં નોકરી ગણતરીમાં લેવા અંગેનો ઠરાવ રાજ્યના નાણાં વિભાગે પસાર કરી દીધો છે. 2006 પછી ભરતી થયેલ તમામ વિભાગના ફિક્સ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓને આ ઠરાવ લાગુ પડશે.
અલબત્ત સુપ્રીમ કોર્ટે ગુજરાતના ફિક્સ પગારદારોના આ કેસને રાજસ્થાનના ગોપાલ કુમાવતના કેસ સાથે જોડી દીધો છે. ગોપાલ કુમાવતે રાજસ્થાનમાં ફિક્સ પગારની પ્રથાને પડકારી હતી અને રાજસ્થાન હાઈકોર્ટે તેને ગેરબંધારણીય ગણાવી હતી.
અમદાવાદ: રાજ્યના હજારો ફિક્સ પગારદારોને કાયમી કર્મચારીઓ જેટલો પગાર અને અન્ય લાભો આપવાના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ફિક્સ પગારદારો વતી આ કેસ યોગક્ષેમ ફાઉન્ડેશન લડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -