ગુજરાતમાં ચૂંટણીનો કાર્યક્રમ કેમ જાહેર ના કરાયો ? ક્યારે થશે જાહેરાત ? જાણો વિગત
નરેન્દ્ર મોદીની હાજરીમાં 16 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમિત શાહ મળીને આચારસંહિતા જાહેર થાય તે પહેલાં કોઈ મોટી જાહેરાતને અંતિમ સ્વરૂપ આપશે વડાપ્રધાન મોદીની જાહેરસભામાં તેની જાહેરાત કરાશે અને તે પછી ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણીની તારીખની પંચ દ્વારા જાહેરાત કરાયા તારીખથી જ રાજયમાં ચૂંટણીની આચરસંહિતા અમલમાં આવી જશે અને તેના અમલના ભાગરૂપે કેન્દ્ર કે રાજય સરકાર પ્રજા-મતદારો ઉપર પ્રભાવ ઊભો કરે તેવી કોઈ નવી જાહેરાત કરી શકે નહી તેના કારણે જાહેરાત પાછી ઠેલાઈ છે.
નરેન્દ્ર મોદી એ પછી બીજા દિવસે ભાવનગર જશે. ભાવનગરમાં નરેન્દ્ર મોદી ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું ઉદઘાટન કરશે. એ પછી ત્યાં જાહેર સભાનું પણ આયોજન કરાયું છે. વડાપ્રધાનની જાહેર સભા પૂર્ણ થયા બાદ એટલે કે 17 ઓક્ટોબર પછી ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરાશે.
ગુજરાતમાં અત્યારે ભાજપની ગૌરવયાત્રાઓ નીકળી રહી છે. તેના અંતિમ દિને એટલે કે 17 ઓક્ટોબરે ગાંધીનગરના ભાટ નજીક ભાજપ તરફથી મતદારયાદીના દરેક દીઠ નિમાયેલા પેઈજ પ્રમુખોનું એક વિશાળ સંમેલન મળવાનું છે. આ સંમેલનમાં નરેન્દ્ર મોદી તથા અમિત શાહ ખાસ ઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધવાના છે.
ગાંધીનગરઃ કેન્દ્રીય ચૂંટણી પંચે ગુરૂવારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી પણ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેરાત ના કરાઈ તેથી આશ્ચર્ય ફેલાયું છે. ગુજરાતમાં કેમ ચૂંટણી જાહેર ના કરાઈ તેની અટકળો ચાલી રહી છે ને તેનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની યાત્રા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -