મોદીના કાર્યક્રમમાં મહિલા સરપંચનો બુરખા ઉતારવાનું કહેવાતાં શું થયું, જાણો
જ્યારે કેરળ મહિલા પંચે આ ઘટનાને માનવાધિકાર ઉલ્લંઘન ગણાવતા સંબંધિ સુરક્ષાકર્મી વિરૂદ્ધ ફરિયાદ કરવાની માગ કરી છે. પરંતુ જિલ્લાના ઉચ્ચ અધિકારીએ આ પ્રકારની વાતને નકારી કાઢી છે. ગાંધીનગર પોલીસ અધીક્ષક વીરેન્દ્ર યાદવે કહ્યું કે, મહિલાનો ચહેરો ઢંકાયેલો હતો અને તેની ઓળખ કરવા માટે બુરખો હટાવવો જરૂરી હતો અને આમ એક મહિલા કો-ઓર્ડિનેટરની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
સઇદસલાવીની સાથે આવેલ એક અન્ય સભ્યએ જણાવ્યું કે, જ્યારે કેરળથી આવેલ પ્રતિનિધિ મંડળને આ મામલે દખલ કરી તો અંદાજે એક કલાક બાદ તેને બુરખો પરત આપવામાં આવ્યો. કેરળના આ પ્રતિનિધિ મંડળમાં અંદાજે 100 સભ્ય સામેલ હતા. નૂરબીના રાશિદે આ ઘટના પર રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, આ અપનાજનક છે અને કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. મહિલા દિવસ પર લઘુમતિ સમુદાયની એક મહિલા સાથે આ પ્રકારની ઘટના બની રહી છે.
કેરળ મહિલા પંચની સભ્ય નૂરબીના રાશિદને કહ્યું કે, મહિલા સરપંચ સહઇદસલાવીને કાર્યક્રમ સ્થળ પર હાજર સુરક્ષાકર્મિઓએ બુરખો હટાવવા કહ્યું. તેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન બુરખો પહેરવા આપવામાં ન આવ્યો. આ કાર્યક્રમમાં અંદાજે 6000 હજાર લોકો હાજર હતા. સઇદસલાવી વિતેલા 20 વર્ષથી સ્થાનિક સ્તરની નેતા છે. કેરળના વાયનાડમાં તેમની પંચાયતને સૌ પ્રથમ શૌચમુક્ત પંચાયત જાહેર કરવામાં આવી.
અમદાવાદઃ ગુજરાતમાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમ દરમિયાન એક મુસ્લિમ મહિલાને કથિત રીતે બુરખો હટાવવા માટે મજબૂર કરવામાં આવી. ખાસ ઉપલબ્ધિ મેળવનાર મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર સન્માનિત કરવા માટે ગાંધીનગરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહરબન સઇદસલાવી નામની મહિલા કેરળથી આવેલ પ્રતિનિધિમંડળમાં સામેલ હતી.