મોડાસાઃ ઝાંઝરી ધોધમાં ડૂબી જવાથી અમદાવાદના 2 યુવાનનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Mar 2018 08:46 PM (IST)
1
મોડાસા: અમદાવાદથી ફરવા ગયેલા બે યુવાનોના ઝાંઝરી ધોધમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. બંને યુવાનો શાહપુરના રહેવાસી છે. હાલ ઝાંઝરીમાંથી બંનેના મૃતદેહ કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવ્યા છે. ઘટનાને પગલે ફરવા આવતા સહેલાણીઓમાં ડરનો માહોલ ફરી વળ્યો હતો.
2
રવિવારની રજાના દિવસે બનેલા દુઃખદ બનાવથી બંને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
3
મૃતક યુવકોના નામ નિલેશ પરમાર અને જિતેન્દ્ર પરમાર હોવાનું જાણવા મળ્યું છે.