✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જામનગર સામૂહિક આપઘાત: એકસાથે પાંચેયની અંતિમયાત્રા નીકળી, હજારોની સંખ્યમાં લોકો જોડાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2019 12:21 PM (IST)
1

જામનગર: જામનગરમાં સામૂહિક આપઘાત કરી લેનાર વણિક પરિવારના પાંચ સભ્યોની આજે અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારે આર્થિક સંકળામણને કારણે આપઘાત કરી લીધો હતો. અંતિમયાત્રા જામનગર વણિક સુખડીયા કંદોઈ જ્ઞાતિની વાડી ખાતેથી નીકળી હતી.

2

3

10 વર્ષ પહેલાં તેમણે લોન પર મકાન લીધું હતું. જેના હપ્તા પેટે મોટી રકમ ચુકવવી પડતી હતી. પરિવારની નજીવી આવક સામે ખર્ચ ખૂબ જ વધારે થતો હોવાથી પુત્ર ભાંગી પડ્યો હતો. હું સવારે ઉઠ્યો ત્યારે માલુમ પડ્યું હતું કે નીચે તમામ લોકોએ આપઘાત કરી લીધો છે.

4

જામનગરમાં આપઘાત કરી લેનાર પરિવારના મોભી એવા પન્નાલાલ સાકરિયાએ જણાવ્યું હતું કે ઘરમાં કમાવાવાળો તેનો દીકરો દીપક એકલો જ હતો. તેની સામે પરિવારનો ખર્ચ ખૂબ જ વધારે હતો. તેમના પત્ની છેલ્લા થોડા વર્ષોથી હૃદયની બીમારીથી પીડાતા હતા. તેની સારવાર માટે પણ મોટી રકમ ખર્ચ કરવી પડતી હતી.

5

અંતિમયાત્રામાં સૌરાષ્ટ્રભરમાંથી વણિક કંદોઈ સુખડીયા જ્ઞાતિના લોકો જોડાયા હતા. એક સાથે પાંચ લોકોની અંતિમયાત્રા નીકળતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. તમામ મૃતદેહને શબવાહિમાં સ્મશાન સુધી લઈ જવામાં આવ્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • જામનગર સામૂહિક આપઘાત: એકસાથે પાંચેયની અંતિમયાત્રા નીકળી, હજારોની સંખ્યમાં લોકો જોડાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.