✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જામનગરમાં એક જ પરિવારના પાંચેય સભ્યો ઝેરી દવા પીને કર્યો આપઘાત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2019 12:50 PM (IST)
1

દીપકભાઈ સાકરિયા, આરતીબેન સાકરિયા, કુમકુમ, હેંમત અને જયાબેને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.

2

આપઘાત કરી લેનાર દંપતિ તેમજ તેના બંને બાળકોના મૃતદેહ એક જ નાના બેડ પરથી મળી આવ્યો હતો. જ્યારે એક મહિલાનો મૃતદેહ બીજા બેડ પરથી મળી આવ્યો હતો. તમામના મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા છે. આ પરિવારમાં પાંચ જ સભ્યો હતા.

3

સામુહિક આપઘાતના બનાવ બાદ પરિવારના ઘરની બહાર પણ લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં. બનાવની તપાસ માટે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસ તરફથી આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

4

આપઘાત કરી લેનાર વ્યક્તિઓમાં પતિ-પત્ની તેમજ એક દીકરી અને દીકરો અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

5

જામનગર: નવા વર્ષના પ્રથમ દિવસે જ જામનગરના કિશાનચોક વિસ્તારમાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

  • હોમ
  • ગુજરાત
  • જામનગરમાં એક જ પરિવારના પાંચેય સભ્યો ઝેરી દવા પીને કર્યો આપઘાત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.