રાજ્યનાં ક્યાં 19 જળાશયો 90 ટકાથી વધારે ભરાયાં, ગમે ત્યારે છલકાઈ શકે તે જોતાં હાઈ એલર્ટ જાહેર, જાણો વિગત
આ ઉપરાંત ગિર-સોમનાથ જિલ્લાનું રાવલ અને શિંગોડા રાજકોટનું ભાદર-ર અને ફોફલ-૧, અમરેલીનું સંક્રોલી મળી કુલ ૦૫ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૩ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.
ઉપરાંત ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર અને તાપીનું દોસવાડા જળાશય સંપૂર્ણ તેમજ રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી, જૂનાગઢનું અંબાજલ અને ઓઝત-ર, તેમજ ગિર-સોમનાથનું હિરણ-ર જળાશય ૯૦ ટકાથી વધુ ભરાતા કુલ ૧૯ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા ડેમ) ૧૧૧.૨૩ મીટરની સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમ 39.78 ટકા સુધી ભરાઈ ગયો છે. જ્યારે નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ જળાશયો 90 ટકા સુધી ભરાયા છે.
નવી દિલ્હીઃ છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં પડી રહેલ અનરાધાર વરસાદને કારણે જળાશયોમાં નવા નિર આવ્યા છે. રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગરના અહેવાલ અનુસાર 19 જુલાઈ સુધીમાં 19 જલાશયો પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 5 જળાશયોને એલર્ટ અને 13 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.