જાણો આ મહત્ત્વનો નિયમ, નહીંતર તમારૂં ડ્રાઈવિંગ લાયસંસ થઈ જશે રદ, બીજાં પગલાં પણ લેવાશે
આરટીઓ કચેરીઓમાં ચાલતા એજન્ટ રાજબંધ થાય, ભ્રષ્ટાચાર ઘટે અને નાગરિકોની પરેશાની અટકે તે ઉદ્દેશ્યથી વાહનવ્યવહાર વિભાગે પોતાની જ એન-કોડ સોલ્યુશન કંપની સ્થાપવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદઃ હવે ત્રણ વખથ ટ્રાફિક કાયદોનો ભંગ કર્યો તો તમારું લાઈસન્સ રદ થઈ જશે. અમદાવાદ આરટીઓએ તેની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ આરટીઓએ 160 વાહન ચાલકોના લાઈસન્સ રદ કર્યા છે. એટલું જ નહીં, તેનાથી આગળ વધીને આ પ્રકારના રદ રાયન્સ ધારકોના નામો વેબસાઈટથી લઈને લાયસન્સ સાથેના ફોટોગ્રાફ જાહેર માર્ગોના હોર્ડિંગ્સમાં પર લટકાવવામાં આવશે. જેથી કરીને લોકોમાં ટ્રાફિક નિયમનને લઈને જાગૃકતા આવે.
વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયાએ આ જાણકારી આપતા કહ્યું કે, ત્રણ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરાનારનું લાયન્સ ત્રણ મહિના માટે રદ કરવું કાયદામાં જોગવાઈ હતી જ. અમદાવાદમાં ઈ-ચલણ અને પોલીસ રેકર્ડ ઉપલબ્ધ થતા તેનો અમલ કરી શક્યા છીએ. અન્ય જગ્યાએ પણ આવી જ કડકાઈ થશે.
અકસ્માત અને ચાલકોમાં પણ સ્વયંશિસ્તતા કેળવાય તે ઉદ્દેશ્યથી જેમના લાયન્સ રદ થાય તેમના લાયન્સ સાથેના ફોટોગ્રાફની વિગતો જાહેર કરવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં. તેનાથી સામાજિક જવાબદારી અને કાયાદાની અસરકારકતા વધશે.
તેમણે વધુમાં કહ્યું કે, જેમનું લાયસન્સ રદ થયું છે તેમને પણ બચાવ માટે કમિશ્નરેટ એરિયામાં પોલિસ કમિશ્નર સમક્ષ અને અન્ય ક્ષેત્રોમાં અપિલ કરવાનો અધિકાર હોવાનું જણાવ્યું. સાથે કહ્યું કે, રદ થયેલા લાયન્સની વિગતો પણ પોલીસને રિટર્ન થશે એટલે તેનાથી છટકી શકાશે નહીં.