✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં શરાબના શોખીનો માટે રાહતના સમાચાર, નશાબંધી એક્ટના નવા નિયમોમાં શું કરાઈ છે જોગવાઈ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jun 2017 01:05 PM (IST)
1

જો કે માત્ર દારૂ પીધેલી હાલતમાં પકડાય તો પોલીસ જામીન આપશે ખરી પણ ગુનો સાબિત થતાં 6 મહિના સુધીની સજા થશે. દારૂ પીને વાહન ચલાવતા પકડાયા તો મોટર વ્‍હીકલ એકટની કલમ 155 હેઠળ 6 મહિના સુધીની સજા થશે. આમ દારૂ પીને કાર ચલાવવા બદલ એક વર્ષ સુધીની સજા થઈ શકે છે.

2

ગુજરાત સરકારે નશાબંધી એક્ટની કલમ 85(1)ના નિયમોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. તેના કારણે દારૂબંધીનો ભંગ કરનાર નાગરીકના મેડીકલ, તસ્‍વીરો અને અંગૂઠાની છાપ જેવી પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ પોલીસ સ્‍ટેશનમાંથી જ જામીન મળી શકશે. આ નિયમ દારૂડિયાઓ માટે રાહતરૂપ છે કેમ કે તેમણે જેલની હવા નહીં ખાવી પડે.

3

અમદાવાદઃ ગુજરાતમાં દારૂના દૂષણને ડામવા માટે નશાબંધી એકટમાં સુધારો કરીને કડક કાયદો બનાવનારી વિજય રૂપાણી સરકારે તેના અમલ માટે નિયમો જાહેર કર્યા છે. આ નિયમો પ્રમાણે શરાબનું સેવન કરેલા નાગરીકને પોલીસ સ્‍ટેશનમાં જ જામીન આપી દેવાની જૂની જોગવાઈ યથાવત રખાતાં દારૂડિયાઓને રાહત થશે.

4

જો કે નશાની હાલતમાં હો અને દારૂ પણ પકડાય તો આકરા નિયમો લાગુ પડશે. દારૂનો જથ્‍થો સાથે હોય અને નશો કર્યો હોય તો કોર્ટમાંથી જામીન લેવા પડશે. આ પ્રકારના ગુના માટે 10 વર્ષ સુધી કેદ તથા રૂપિયા 5 લાખનો દંડ થશે. રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મંગળવારે આ નિયમો જાહેર કર્યા હતા.

5

પ્રદીપસિંહ જાડેજાએ આ કાયદાના નિયમો જાહેર કરતા કહ્યુ કે ‘દારૂ પીને દંગલ,જાહેરમાં ઉપદ્રવ,ઝઘડો કરે, અસભ્‍ય ભાષા બોલે કે સ્ત્રાઓની છેડતી કરે તેમને એકથી ત્રણ વર્ષની સજા અને દંડ થશે. દારૂના અડ્ડા ચલાવનાર તથા તેમને મદદ કરનારાને કલમ 68 હેઠળ 10 વર્ષ સુધીની કેદ અને રૂપિયા 1 લાખ સુધીનો દંડ થશે.

6

આ નંબર પર વ્‍હોટસએપ, એસએમએસથી માહિતી મોકલી શકાશે. માહિતી દાતાઓની ઓળખાણ ગુપ્‍ત રખાશે. માત્ર દારૂનું સેવન કર્યુ હોય તેની પાસે કોઈ જથ્‍થો મળ્‍યો ન હોય તેવા નાગરીકને પણ કાયદાથી ન્‍યાયનો અધિકાર છે. આથી સરકારે દારૂબંધીના કાયદો સુધારતી વેળાએ માત્ર દારૂ પીતાં પકડાયેલાને રાહત આપી છે.

7

ગુનેગારોને ભગાડવામાં મદદ કરનાર અધિકારી કે અન્‍યને 7 વર્ષ સુધીની કેદ થશે. દારૂબંધીના અમલ, નશાની હાલતમાં પકડાયેલા નાગરીક પાસે પોલીસ દ્વારા થતી અઘટીત માંગણીઓને રોકવા ગૃહ વિભાગે સ્‍ટેટ મોનિટરીંગ સેલ, એસએમસી બનાવી છે. તેના માટે ટોલ ફ્રી નંબર 14405 અને કંટ્રોલ રૂમના નંબર 99793444 ફાળવાયા છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતમાં શરાબના શોખીનો માટે રાહતના સમાચાર, નશાબંધી એક્ટના નવા નિયમોમાં શું કરાઈ છે જોગવાઈ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.