અલ્પેશ ઠાકોરનો હુંકાર, ગુજરાતમાં 2018નું ધ્વજવંદન ઠાકોર મુખ્યમંત્રી કરશે

આ સભામાં અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે 2018 નું ધ્વજવદન ઠાકોર મુખ્યમંત્રી ફરકાવશે. આ સાથે નર્મદા તૂટવાનું કરણ નેતા ની ભાગીદારી હોવાનું જણાવ્યું હતું કહ્યું જો નહેર તુટી તો ધારાસભ્ય ઘરની બહાર નહીં નીકળી શકે.
અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લાનાં એસ.પી.ને વિનંતી કરી હતી કે દારૂ બનાસકાંઠામાંથી ન પ્રવેશવા દેવામાં આવે. જિલ્લા એસ.પી. ને તારિખ 11 સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.ત્યરબાદ જો દારૂ બંધ નહીં થાય તો જવાબદાર આપ રહેશો તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
ભાજપ-કૉંગ્રેસ બંને દાવા કરે છે કે ચૂંટાયેલા સરપંચો છે તે અમારી પાર્ટીના છે, ત્યારે અલ્પેશ ઠાકોરની આ સભામાં 300 સરપંચો હાજર રહ્યા હતા. તમામ સરપંચોને કોઈ પાર્ટીના ખેસ ન પહેરવા કહેવામાં આવ્યું હતું.
બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામા અલ્પેશ ઠાકોર દ્વારા સરપંચોના સમ્માનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્ય હતો. જેમાં ચૂંટાયેલા સરપંચોનું સમ્માન કરવામાં આવ્યું હતું.