✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘નવઘણના ભાલે બેઠેલી માતાના આશીર્વાદ મળી જાય તો દિલ્હીની ગાદી સર કરતાં આપણને કોઇ નહી રોકી શકે’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2017 10:14 AM (IST)
1

તેણે કહ્યું કે, જે માતા નવઘણના ભાલે બેઠી હતી, તેના આશીર્વાદ મળી જાય તો દિલ્હીની ગાદી સર કરવામાં આપણને કોઇ નહી રોકી શકે. ઉલ્લેખનીય છે કે,લોકો સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી લોકો અલ્પેશ ઠાકોરને મળવા બેસી રહ્યા હતા. પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શન કર્યાં હતાં.

2

અલ્પેશે કહ્યું કે, માતાજીના આશીર્વાદ મળશે તો દિલ્હીની ગાદી સર કરતાં પણ કોઇ નહીં રોકી શકે અને સમાજનો વિકાસ કરવાની માતાજી શક્તિ આપે. સમાજને એ દિશામાં લઇ જવો છે, જેમાંથી કલેકટર, એસપી, ધારાસભ્ય બને. આ સ્વપ્નો લઇને નીકળ્યો છું. ગુજરાતમાં આપણી સરકાર આવશે તો માતાજીને તોરણ ચઢાવવા જરૂર આવીશ.

3

આ કારોબારીમાં રાજનીતિની દિશા અને મુદ્દા આધારિત આંદોલનની રણનીતિ નક્કી કરાશે. અમારી રાજનીતિમાં યુવાનોને રોજગારી, ખેડૂતોને પાણી, બાળકોને મફત શિક્ષણ અને દારૂબંધીનો કડક અમલ કેન્દ્રસ્થાને રહેશે. હું ચૂંટણી નહીં લડું, પણ તમારામાંથી લોકો ચૂંટણી લડે તેવા આશીર્વાદ લેવા આવ્યો છું.

4

ઠાકેરે રવિવારે બનાસકાંઠાના વાવ તાલુકાના સપ્રેડા ગામે કુળદેવી મોમાઇ માતાજી અને ક્ષેત્રપાળ દાદાના ત્રિ-દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. અલ્પેશ ઠાકોરે જનસભાને સંબોધતાં જણાવ્યું કે, 11મીએ અમદાવાદમાં મળનારી પ્રદેશ કારોબારીમાં 5000 હોદ્દેદારો હાજર રહેશે.

5

ઠાકોરે જાહેરાત કરી છે કે, આગામી 11 મેના રોજ અમદાવાદમાં મળનારી પ્રદેશ કારોબારીમાં આપણું ગુજરાત એક ગુજરાતના નારા સાથે ગુજરાતમાં રાજનીતિનું રૂપ બદલવાનો ટંકાર કરવામાં આવશે. ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો કે, 2017ની ચૂંટણીમાં આપણી સરકાર બનાવીશું.

6

અમદાવાદઃ ગુજરાતમાં નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સક્રિય થઈ ગયાં છે ત્યારે થોડા સમયથી શાંત ક્ષત્રિય ઠાકોર સેના ફરી એકવાર મેદાનમાં આવી ગઈ છે. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પોતે વિધાનસભાની ચૂંટણી નહી લડે પણ બીજા લોકોને લડાવશે તેવો હુંકાર કર્યો છે.

  • હોમ
  • ગુજરાત
  • ‘નવઘણના ભાલે બેઠેલી માતાના આશીર્વાદ મળી જાય તો દિલ્હીની ગાદી સર કરતાં આપણને કોઇ નહી રોકી શકે’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.