ભાજપે 150 બેઠકો જીતવા રાજ્યને 4 ઝોનમાં વહેંચ્યું, જાણો ક્યા ઝોનની જવાબદારી ક્યા રાષ્ટ્રીય નેતાને સોંપાઈ?
વાઘાણીએ જણાવ્યું કે, ભાજપે 150નો ટાર્ગેટ પૂરો કરવા માટે આ વખતે આદિવાસી સીટો તરફ પણ નજર નાખી છે. જેમાં 15 જીલ્લામાં 27 સીટો માટે બૃહદ બેઠક પણ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘાણીએ સોશિયલ મિડીયમાં વાયરલ થયેલ આઇબીના રીપોર્ટને પણ ફગાવ્યો હતો અને કહ્યુ હતુ કે ભાજપ 150 સીટો અવશ્ય જીતશે.
પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં આ ચાર નેતાઓ પાર્ટીના પ્રચાર અને ચુંટણી જીતવા માટેની કામગીરી હાથ ધરશે. આ ચાર ઝોનમાં થતી કામગીરી અંગેની જાણકારી તેમજ ચર્ચાને સમયાંતરે, મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી તેમજ અમિત શાહ સાથે કરવા માટેની જવાબદારી ભૂપેન્દ્ર યાદવની રહેશે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજ્યને ચાર ઝોનમાં વેંચી દેવામાં આવ્યુ છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની જવાબદારી નિર્મલા સીતારામનને, મધ્ય ગુજરાતની જવાબદારી નરેન્દ્રસિંહ તોમરને, ઉત્તર ગુજરાતની જવાબદારી પી. પી. ચૌધરીને તેમજ દક્ષિણ ગુજરાતની જવાબદારી ડો. જીતેન્દ્રસિંહને સોપવામાં આવી છે.
આ અંગે જાણકારી આપતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિધાનસભાની ચુટણીમાં ભાજપની જીત અને કોંગ્રેસની કારમી હાર થાય તે માટે આજે અમિતશાહના નિવસ સ્થાને મિટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ નેતાઓને વિધાનસભાની ચુટણી જીતવા માટેની જવાબદારી સોપવામાં આવી છે.
ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહને ત્યાં ગુરુવારે એક બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ વપ્રમુખ જીતુ વાઘાણી અને ગુજરાતના ચૂંટણી ઈન્ચાર્જ અરૂણઁ જેટલી હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યને ચાર ઝોનમાં વહેંચીને દરેક ઝોનની જવાબદારી કેન્દ્રિય નેતાઓને સોંપવાનો નિર્ણય લેવાયો છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં નક્કી કરેલા 150 બેઠકોની જીતના લક્ષ્યને હાંસલ કરવા ભાજપે કમર કસી છે અને તેમાં કોઈ કમી ન રહી જાય એચલા માટે ગુજરાતની 182 વિધાનસભા બેઠકોને ચાર ઝોનમાં વહેંચીને રાષ્ટ્રીય સ્તરના ચાર લદિગ્ગજ નેતાઓને ચારેય ઝોનની જવાબદારી સોંપી દીધી છે.