ભાજપ રૂપાણી સરકારના આ 8 પ્રધાનો સાથે ઘણા વર્તમાન ધારાસભ્યોની કાપશે ટિકીટ, જાણો વિગત
કતાર ગામથી ભાજપના ધારાસભ્ય અને સરકારમાં રાજ્યમંત્રી નાનુ વાનાણીને પણ આ વખતે ટિકિટ નહીં મળે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલને પણ આ વખતે ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલની પણ ટિકિટ કપાવની શક્યતા છે.
આણંદના ધારાસભ્ય અને રાજ્યમંત્રી રોહિત પટેલને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
દેવગઢ બારીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
રાઉપુરાથી ધારાસભ્ય અને રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પણ ટિકિટ કપાઈ શકે છે.
દીયોદરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કેશાજી ચૌહાણને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
નરોડા (અમદાવાદ)ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી નિર્માલ વાધવાનીની ટિકિટ પણ કપાની પૂરેપૂરી શક્યતા છે.
આ લિસ્ટમાં પ્રથમ નામ જયંતી કાવડીયાનું છે જે ધ્રાંગધ્રાથી ધારાસભ્ય અને સરકારમાં રાજ્યમંત્રી છે. તેમને આ વખતે ટિકિટ મળવાની શક્યતા ઘણી ઓછી છે.
જોકે ચર્ચા એવી છે કે ઘણા મંત્રીઓ અને MLAને આવતી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહિં આવે. ૨૦૦૨ અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમણે પણ કેટલાંય મંત્રીઓ અને સિનિયર MLAને પડતા મૂકયા હતા. ભાજપના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપ સરકાર બનાવશે તો પણ કેટલાંય મંત્રીઓને પોર્ટ ફોલિયો આપવાની ના પાડી દેવાય તેવી શકયતા છે. ભાજપે 'ગરજશે ગુજરાત'નામનું પ્રચાર કેમ્પેઈન શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ કેમ્પેઈન એક અઠવાડિયાના ગાળામાં લોન્ચ થાય તેવી શકયતા છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો ક્યા નેતાઓની ટિકિટ કપાઈ શકે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને આડે 2-3 મહિના જ રહ્યા છે ત્યારે ભાજપ ટોચના નેતાઓમાં ટીકિટને લઈને વ્યાકુળતા વધી ગઈ છે. ભાજપના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ખરાબ પરફોર્મ્ન્સ અને બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખતા કેબિનેટ મંત્રીઓ સહિત કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. જોકે પાર્ટીમાં આ મુદ્દાને બને ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવ્યો છે જેથી કોઈ ગણગણાટ ન થાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -