✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમરેલી: પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત, પત્નીએ પણ પતિના વિયોગમાં પીધી ઝેરી દવા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Sep 2018 09:05 PM (IST)
1

મળતી માહિતી મુજબ અમરેલીના ચાંદગઢ ગામે ચાર દિવસ પહેલા ભરતભાઇ ખુમાણે લેણું વધી જતાં આત્મહત્યા કરી લીધી હતી.આ ખેડુતે ફરજા કુવાની લોન તેમજ પાક ધિરાણની લોન લીધી હતી.આ લોન ભરપાઇ કરી શકે તેમ ન હતા તેમજ પોતાના ખેતરમાં કપાસનું બે થી ત્રણ વખત વાવેતર કર્યું હતું આ પાક નિષફળ જશે તેવી પણ તેમને ભીતિ હતી.ભરતભાઇ ખુમાણે ઝેરી દવા પિતા પોતાની પત્નીને લાગી આવતા તેમને પણ ઝેરી દવા પીધી હતી.હાલ ભરતભાઇ ખુમાણના પત્ની દવાખાને સારવાર હેઠળ છે.

2

અમરેલીઃ રાજ્યમાં વધુ એક ખેડૂતે આપઘાત કરી હોવાનો મામલો સામે આવ્યો છે. અમરેલીના ચાંદગઢ ગામે ખેડૂત ઉપર લેણું વધી જતાં ચાર દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. ખેડૂતે આત્મહત્યા કરતા તેની પત્નીએ વિરહમાં ઝેરી પી લેતા ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાઇ છે. આત્મહત્યા કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ચાંદગઢ સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા.

3

મૃતક ખેડૂતની 15 વિઘા જમીનમાં કપાસના છોડ હજુ પણ નાના નાના છે. અહીં તેમણે પીડિત પરિવારને આશ્વાસન આપી દુઃખ વ્યક્ત કર્યું હતું. મૃતક ખેડૂત ખેતરની મુલાકાત વિપક્ષના નેતાએ કરી હતી. આ બાબતે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બની ગયો છે.પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા આ બાબતે સરકારે વિચારવું જરૂરી છે. પરેશ ધાનાણીની સાથે વિરજી ઠુંમર પણ મૃતક ખેડૂતના પરિવારને સાંત્વાના આપવા પહોંચ્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • અમરેલી: પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત, પત્નીએ પણ પતિના વિયોગમાં પીધી ઝેરી દવા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.