ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, જાણો ક્યા-ક્યા જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jun 2018 05:12 PM (IST)
1
2
3
4
વરસાદ પડતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ હતી. ગારિયાધારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. ગારિયાધાર સિવાય અન્ય પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. ડાંગમાં પણ વરસાદ વરસ્યો હતો.
5
6
7
અમદાવાદઃ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભાવનગરના ગારિયાધાર અને અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદ વરસતા છેલ્લા કેટલાય દિવસથી ગરમીથી પરેશાન લોકોને રાહત મળી હતી.
8
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વંડા, નાનાલીલીયા, ફિફાદ, મેકડા, સાવરકુંડલામા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.