ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં બાળકોના મોતના મામલે સરકારની સમિતિએ ક્લીનચીટ આપી શું કરી ભલામણ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ભુજઃ ભુજમાં અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો ગરમાયો છે. સરકારની સમિતિએ ક્લીનચીટ આપી હોવાનો અદાણી ગ્રુપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને વધુ ટ્રેનિંગ આપવાની સમિતિએ ભલામણ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સમિતિએ તેના રિપોર્ટમાં તમામ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. નવજાત બાળકોના મોત ક્રિટિકલ સ્થિતિમાં થયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત તબીબી સારવારમાં કોઈ બેદરકારી ન હોવાની નોંધ કરવામાં આવી છે.
3
આરોગ્ય વિભાગમાંથી મળેલી માહિતી મુજબ કચ્છમાં વર્ષ 2017-18 દરમિયાન 901 બાળકો મોતને ભેટ્યાં હોવાનું બહાર આવ્યું છે. આ આંકડો વર્ષ 2016-17ની સરખામણીએ 30 ટકા જેટલો વધુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -