ભાજપના ક્યા નેતાએ આદિવાસીઓ પાસે સહીઓ કરાવીને તેમનાં નાણાં પોતે ખાઈ ગયા હોવાની કરી કબૂલાત, જાણો વિગત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Aug 2018 10:11 AM (IST)
1
2
ભાજપ સાંસદ રામસિંહ રાઠવાએ આદિવાસી હિન્દૂ હોવાનું કહી દેશ તેરે ટુકડે હોંગે કહેવા વાળાની વિચારસરણી વાળાની વાત કરી આડકતરી રીતે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા અને આદિવાસીઓમાં ભાગલા પાડવાનો આક્ષેપ કર્યો હતો.
3
વિશ્વ આદિવાસી દિનના કાર્યક્રમ નિમિત્તે ભાજપના નેતા અને ઘેટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાન ભરવાડે કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચાર કરવાની વાતની કબૂલાત કરતું નિવેદન આપ્યું હતું.
4
અમદાવાદઃ ભાજપના નેતા ભવાન ભરવાડે પોતે આદિવાસીઓના નામે ભ્રષ્ટાચાર કર્યાની કબૂલાત કરી હતી. છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસે તેમણે કહ્યું કે, તેઓ જ્યારે કોંગ્રેસમાં ધારાસભ્ય હતા ત્યારે આદિવાસીઓના નામે બારોબાર નાણાં ચાંઉ કરી જતાં હોવાનો સ્વીકાર કર્યો હતો. પાવીજેતપુર ખાતે આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમમાં તેમણે આ બફાટ કર્યો હતો.