ગુજરાત ગૌરવયાત્રામાં સામેલ થવા MPના CM શિવરાજસિંહ ચૌહાણ આજે આવશે ગુજરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Oct 2017 11:15 AM (IST)
1
શિવરાજ સિહં ચૌહાણ ભોપાલથી અંકલેશ્વર જશે અને 78 કિ.મી યાત્રામાં સામેલ થશે. શિવરાજ યાત્રા દરમિયાન જનસભા પણ સંબોધશે. શિવરાજ અંકલેશ્વરથી ભરૂચની 40 કિ.મી યાત્રામાં અનેક સ્થાનીય કાર્યક્રમોમાં ભાગ લેશે. તેના બાદ ભરૂચથી વડોદરા સુધી 85 કિ.મીની યાત્રામાં સામેલ થશે.
2
ભોપાલ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાદ હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પ્રચાર માટે મેદાનમાં ઉતારવા જઈ રહી છે. સીએમ શિવરાજસિંહ ચૌહાણ આજે ગુજરાત ગૌરવ યાત્રામાં સામેલ થવા ભરૂચ જિલ્લાની વિધાનસભા અંકલેશ્વર જશે. શિવરાજ સિંહ ચૌહાણ આજે ભોપાલથી સુરત જવા રવાના થશે.