CM વિજય રૂપાણી બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે

નીચાણના વિસ્તારોમાંથી અનેક લોકો સ્થળાંતર કરી બીજે રહેવાની ફરજ પડી છે. થોડુંક પાણી ઉતરે છે અને પાછો વરસાદ થતાં એની એજ હાલત થઇ જાય છે.
મુખ્યમંત્રી 15 જેટલા સચિવો અને સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે પાલનપુર ખાતે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે. સમગ્ર બનાસકાંઠા અને પાટણમાં જળપ્રલયને એક સપ્તાહ થયું તેમ છતાં હજુ અનેક વિસ્તારો પાણીમાં જ છે. અત્યાર સુધી મહદઅંશે ધાનેરાની તબાહી જ લોકોના ધ્યાને આવી છે. પરંતુ ઊંડાણના વાવ, થરાદ, સુઇગામ વિસ્તારની પણ એવી જ દયનિય હાલત છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠા ના વરસાદ અને પૂર થી અતિ પ્રભાવિત કાંકરેજ તાલુકાના ખારિયા ગામે પહોંચ્યા હતા અને આ ગામ ના જે પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને જે પ્રત્યક્ષ મળી ને તેમની સાથે જમીન પર બેસીને સાંત્વના પાઠવી દુઃખ માં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજ થી 5 દિવસ બનાસકાંઠા અને પાટણ માં જ રોકાણ કરી બચાવ રાહત કામગીરી માં ગતિ લાવવા તંત્રનું માર્ગદર્શન કરશે. આ વિસ્તારોમાં પરિસ્થિતિ અને જન જીવન પૂર્વવત કરવા માં રાજ્ય સરકાર નું સમગ્ર વહીવટી તંત્ર કાર્યરત છે તેનું માર્ગદર્શન મુખ્યમંત્રી સ્વયં કરશે.
અમદાવાદ: રાજ્યમાં જોરદાર વરસાદને પગલે બનાસકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે.