✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શંકરસિંહનો લલકારઃ કોઈ બહુ દાદાગીરી કરે તો બાપુ બેઠા જ છે, ભાજપ આ વાત યાદ રાખે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Feb 2017 12:32 PM (IST)
1

ભાજપને આડે હાથ લેતા શંકર સિંહ વાધેલાએ પ્રહાર કરતાં કહ્યું કે બહુ દાદાગીરી કરવી નહી કોઇ દાદાગીરી કરે તો બાપુ બેઠા છે. ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆએ ભાજપ એટલે બળાત્કારી સરકાર ગણાવી નલીયાના બનાવને યાદ કર્યો હતો.

2

દેવગઢ બારિયા: દેવગઢ બારિયામાં જનવેદના સભામાં હાજર રહેલા કોંગ્રેસના તમામ અગ્રણીઓએ ભાજપ પર નોટબંધી ઉપર પ્રહારો કરી નોટબંધીથી અહીના આદિવાસી સમાજને થયેલ નુકસાન જણાવ્યું હતું.

3

કૉંગ્રેસે 50 લાખ યુવાનો બે રોજગાર હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે અમીત શાહના ઇશારે સાણંદની ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો હતો.શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ કાર્યકરો કોઇનાથી ડરે નહી તે અર્થે ભાજપને પ્રહાર કરતાં કહ્યું કે બહુ દાદાગીરી કરવી નહી. કોઇ દાદાગીરી કરે તો બાપુ બેઠા છે.

4

કૉંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, નોટબંધીથી પ્રજામાં મુશ્કેલી ઉભી થઇ છે. ખેડૂતો પર દમન થયાની સાણંદની ઘટના યાદ કરી ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે યુપી, ગોવા, પંજાબ અને મણીપુરમાં ભાજપ સરકાર નહી આ‌વે તેવો દાવો કર્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • શંકરસિંહનો લલકારઃ કોઈ બહુ દાદાગીરી કરે તો બાપુ બેઠા જ છે, ભાજપ આ વાત યાદ રાખે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.