શંકરસિંહનો લલકારઃ કોઈ બહુ દાદાગીરી કરે તો બાપુ બેઠા જ છે, ભાજપ આ વાત યાદ રાખે
ભાજપને આડે હાથ લેતા શંકર સિંહ વાધેલાએ પ્રહાર કરતાં કહ્યું કે બહુ દાદાગીરી કરવી નહી કોઇ દાદાગીરી કરે તો બાપુ બેઠા છે. ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆએ ભાજપ એટલે બળાત્કારી સરકાર ગણાવી નલીયાના બનાવને યાદ કર્યો હતો.
દેવગઢ બારિયા: દેવગઢ બારિયામાં જનવેદના સભામાં હાજર રહેલા કોંગ્રેસના તમામ અગ્રણીઓએ ભાજપ પર નોટબંધી ઉપર પ્રહારો કરી નોટબંધીથી અહીના આદિવાસી સમાજને થયેલ નુકસાન જણાવ્યું હતું.
કૉંગ્રેસે 50 લાખ યુવાનો બે રોજગાર હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે અમીત શાહના ઇશારે સાણંદની ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો હતો.શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ કાર્યકરો કોઇનાથી ડરે નહી તે અર્થે ભાજપને પ્રહાર કરતાં કહ્યું કે બહુ દાદાગીરી કરવી નહી. કોઇ દાદાગીરી કરે તો બાપુ બેઠા છે.
કૉંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, નોટબંધીથી પ્રજામાં મુશ્કેલી ઉભી થઇ છે. ખેડૂતો પર દમન થયાની સાણંદની ઘટના યાદ કરી ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે યુપી, ગોવા, પંજાબ અને મણીપુરમાં ભાજપ સરકાર નહી આવે તેવો દાવો કર્યો હતો.