વાઘેલા-રાદડિયાની મુલાકાતથી રાજકીય ગરમાવો, રાદડિયાએ મુલાકાત અંગે શું કર્યો ખુલાસો ?
તેમણે દાવો કર્યો કે જૂના સંબંધોની આ એક સૌજન્ય મુલાકાત હતી અને આ મુલાકાત પાછળ કોઇ રાજકીય એજન્ડા નથી. રાદડિયા એક સમયે વાઘેલાની નજીક હતા અને વાઘેલા ભાજપથી અલગ થયા ત્યારે રાદડિયા પણ તેમની સાથે નવા પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
વાઘેલા-રાદડિયાની આ મુલાકાત અંગે વોટ્સએપમાં મેસેજીઝ પણ ફરતા થયા છે. રાદડિયા રોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો પણ તેજ બની છે ત્યારે રાદડિયાએ આ મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી છે અને તેની પાછળ કોઈ રાજકીય કારણ નથી તેવો દાવો કર્યો છે.
રાદડિયાએ આ અંગે એવું કહ્યું છે કે શંકરસિંહ કંડોરણા નજીકના પીપળિયા ગામે એક માઠા પ્રસંગે ખરખરો કરવા ગયા હતા અને મેં તેમને અમારા લર્ષો જૂના વ્યકિતગત સબંધના દાવે આમંત્રણ આપતા તે કંડોરણા ખાતેના અમારા છાત્રાલય પર ચા-પાણી કરવા માટે આવ્યા હતા.
અમદાવાદઃ વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને ભાજપના પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા વચ્ચે શુક્રવારે જામકંડોરણામાં મુલાકાત થતાં રાજકીય અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. રાદડિયા અને વાઘેલાએ લાંબા સમય સુધી ચર્ચા કરતાં જાતજાતની અટકળો તેજ બની છે.