✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચૂંટણીના પરિણામો 2026

WEST BENGAL  (293/293)To Win - 147
207
BJP
80
TMC
02
LF+ISF
02
CONG
02
OTH
ASSAM  (126/126)To Win - 64
102
BJP+
19
CONG+
05
OTH
TAMIL NADU  (234/234)To Win - 118
107
TVK
74
DMK+
53
ADMK+
00
OTH
KERALAM  (140/140)To Win - 71
102
CONG+
35
LEFT+
03
OTH
PUDUCHERRY  (30/30)To Win - 16
18
BJP+
06
CONG+
06
OTH
(Source: ECI/ABP News)

કોંગ્રેસની બલિહારીઃ ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી સુધ્ધાં હારેલા ક્યા નેતાને મધ્ય પ્રદેશના ઈન્ચાર્જ બનાવાયા ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Sep 2017 10:35 AM (IST)
કોંગ્રેસની બલિહારીઃ ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી સુધ્ધાં હારેલા ક્યા નેતાને મધ્ય પ્રદેશના ઈન્ચાર્જ બનાવાયા ? જાણો વિગત
1

દેશના અન્ય રાજયોનાં કોંગ્રેસનાં મોટાં માથાં અને નેતાઓ પણ રેસમાં હતા પરંતુ તે બધાની વચ્ચે સોનિયા ગાંધી તા દિપક બાબરીયા પર પસંદગી ઉતારવામાં આવી હતી. દિપક બાબરીયાના શિરે આવતા વર્ષે મધ્યપ્રદેશમાં આવી રહેલી ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજયનો તખ્તો ગોઠવવાની જવાબદારી આવી પડી છે.

2

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નબળા દેખાવ અને પ્રદર્શનને લઇ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા આ પદને લઇ ગંભીર ચર્ચા વિચારણા ચાલી રહી હતી અને કોને આ હોદ્દા પર નિયુકત કરવા તે મુદ્દે પણ બેઠકોનો દોર ચાલ્યો હતો. દિપક બાબરીયા અગાઉ 2009માં અમદાવાદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે.

3

કોંગ્રેસના હાઇકમાન્ડ દ્વારા ગુજરાતના દિપક બાબરીયામાં બહુ મોટો વિશ્વાસ મૂકી તેમને પક્ષની અગત્યની જવાબદારી સોંપી છે. સોનિયા ગાંધી દ્વારા દિપક બાબરીયાની આટલા મહત્વના હોદ્દા પર કરાયેલી નિમણૂંકને લઇ ગુજરાત કોંગ્રેસ સહિત રાજયના રાજકારણમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

4

આ પહેલાં મધૂસુદન મિસ્ત્રીને ઉત્તર પ્રદેશ તથા કર્ણાટકના પ્રભારી બનાવાયા હતા. તેમના પછી ગુજરાત કોંગ્રેસના કોઇ નેતા રાષ્ટ્રીય કક્ષાના ઉચ્ચ હોદ્દા પર નિયુકત થયા હોય તેવો આ પહેલો કિસ્સો છે. અલબત્ત ગુજરાતમાં હારી ચૂકેલા ઉમેદવારને મધ્ય પ્રદેશ જેવા મહત્વના રાજ્યની જવાબદારી સોંપાઈ તે સામે સવાલ પણ ઉઠ્યા છે.

5

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિપક બાબરીયાને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ(મહામંત્રી)ની જવાબદારી ઉપરાંત હવે તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસનાઇન્ચાર્જ પ્રભારી બનાવાયા છે. કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા દિપક બાબરીયાની કામગીરીને ધ્યાનમાં લઇને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.

  • હોમ
  • ગુજરાત
  • કોંગ્રેસની બલિહારીઃ ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી સુધ્ધાં હારેલા ક્યા નેતાને મધ્ય પ્રદેશના ઈન્ચાર્જ બનાવાયા ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.