પાલિતાણા દર્શન કરી પરત ફરતાં MPનાં જૈન પરિવારને દાહોદ નજીક નડ્યો અકસ્માત, 5નાં મોત
તમામ ઘાયલો ને દાહોદ ખાતે સારવાક માટે ખસેડાયા હતા ત્યારબાદ તેમને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. અકસ્માત થયા બાદ હોટલ પર હાજર અન્ય મુસાફરો તથા સ્ટાફે તાત્કાલિક આવીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
દાહોદના કઠલા નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત હતા. મધ્યપ્રદેશનો જૈન પરિવાર પાલિતાણા દર્શન કરીને પરત ફરતો હતો તે સમયે અકસ્માત નડ્યો હતો.
દાહોદ: મધ્યપ્રદેશના કાલીદેવી અને ધામરધા ગામના પરિવારના 14થી 15 સભ્યો પાલિતાણા ખાતે દર્શને ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળા રાતના અગિયાર વાગ્યાના અરસામાં દાહોદ શહેર નજીક આવેલા ઇન્દોર હાઇવે ઉપર ભીટોડી ગામમાં સામેથી રોંગ સાઇડે આવેલી અન્ય એક જીપે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં અકસ્માત સર્જનાર સામેની જીપના ડ્રાયવર અને જૈન પરિવારના 4 સભ્યો મળીને કુલ 5ના મોત નિપજ્યા હતા.