મહેસાણાના લોકો સાડીઓમાં પતી જાય તેમ નથી, હું આવીશ એટલે બધું સરખું થઈ જશે:ગુજરાતના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન
અત્રે માર્ગ અને મકાન વિભાગના રૂ. 126 કરોડના કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયાં હતાં. સાથે રાજ્યમાં સૌપ્રથમ મહેસાણાના 14 ગામમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સ્વચ્છતા માટે ટ્રેકટર, 19 ગામને પાણીના ટેન્કર, છાત્રોને ટેબલેટ સહિત અર્પણ કરાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાંસદ જયશ્રી બેન પટેલ, નટુજી ઠાકોર, ખોડાભાઇ પટેલ, પાલિકા પ્રમુખ રઇબેન પટેલ, કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસ, વિપક્ષના નેતા કિર્તિભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ પર ચાબખા મારતાં કહ્યું કે, 99 ટકાને વિકાસ દેખાય છે, પણ કોંગ્રેસને પથ્થરીયો મોતિયો આવ્યો છે, એટલે વિકાસ દેખાતો નથી. ટાઉનહોલના કાર્યમાં ચીફ ઓફિસર સહિત કર્મચારી ટીમને બિરદાવી હતી. પાલિકાના પૂર્વ પ્રમુખ ગીરીશ રાજગોરે 1978થી ટાઉનહોલના બીજારોપણના 4 દાયકામાં 7 પ્રમુખ સહિતનું યોગદાન રજૂ કર્યુ હતું.
તેમણે મહેસાણા વિસ્તારમાં 5 વર્ષના કાર્યો ગણાવીને કહ્યું કે, મહેસાણાથી વિસનગર ફોરલેન થઇ ગયો છે અને હવે વિસનગર, વડનગર, ખેરાલુ થઇને સતલાસણા સુધી ફોરલેન રસ્તો મંજૂર થઇ ગયો છે. મહેસાણા તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક છે, પણ મેં ભાજપ-કોંગ્રેસ નથી જોયું. રૂ.2.55 કરોડ સરકારે આપ્યા, આજે ખાતુમુહૂર્ત કર્યુ. કોંગ્રેસમાંથી કોઇ માંગવા નથી આવ્યા, પણ સ્વયંમની જવાબદારી સમજીને પૂર્ણ કરી છે.
નાનું-મોટું બધું સરખું કરી દઇશ. અત્યારથી લોકો સાડીઓ વેચવા લાગ્યા છે, પણ મહેસાણાની જનતા સાડીઓમાં પતી જાય તેમ નથી, પ્રજાને રસ્તા, પાણી, શિક્ષણ, સલામતી, સુવિધા જોઇએ, પાંચ વર્ષમાં લગભગ બધા કામો પૂર્ણ કર્યા હોવાનો દાવો કર્યો હતો.
નાનું-મોટું બધું સરખું કરી દઇશ. અત્યારથી લોકો સાડીઓ વેચવા લાગ્યા છે, પણ મહેસાણાની જનતા સાડીઓમાં પતી જાય તેમ નથી, પ્રજાને રસ્તા, પાણી, શિક્ષણ, સલામતી, સુવિધા જોઇએ, પાંચ વર્ષમાં લગભગ બધા કામો પૂર્ણ કર્યા હોવાનો દાવો કર્યો હતો.
મહેસાણા: મહેસાણા શહેરમાં ચાર દાયકાના ચઢાવ ઉતાર બાદ રૂ.14 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન ટાઉનહોલનું સ્વપ્ન સાકાર થયું છે. રવિવારે ટાઉનહોલ સહિત વિકાસકામોનું લોકાર્પણ કરતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આચારસંહિતા આવી જાય એટલે અહીંયા જ રહેવાનો છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -