Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે બનશે તો ગુજરાતીઓ કેમ રહેશે નુકસાનમાં ? જાણો મહત્વની વિગત
આનંદીબેન પટેલે રાજ્યના તમામ ધોરીમાર્ગોને કરમુક્ત કરવાની વાત તેમના કાર્યકાળ દરમિયાન કરી હતી. રૂપાણી સરકારે તેનો ફરજીયાત અમલ કરવો પડ્યો હતો તેને કારણે રાજ્યની આવકને મોટો ફટકો પડ્યો. નેશનલ હાઇવે બનતા આ નુકસાન સરભર કરવાની સરકારની ગણતરી હોઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદીએ જણાવ્યું કે, રાજયના ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરના વિકાસમાં ચાર ચાંદ લાગી જશે. કેન્દ્રનું વાહનવ્યવહાર મંત્રાલય તેમજ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની ટીમ આ પ્રોજેક્ટ માટે તૈયારીઓ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ લોકસભાની 2019ની ચૂંટણી પહેલા પાર પડી જાય તેવી શક્યતા છે.
ભરૂચઃભરૂચમાં નર્મદા નદી પર બનેલા બ્રિજના લોકાર્પણ ટાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં ગુજરાતના 8 સ્ટેટ હાઇવેને રૂા.12000 કરોડના ખર્ચે નેશનલ હાઇવેમાં રૂપાંતરિત કરાશે. આ માટે 12000 કરોડનું રોકાણ કરી 1200 કિમીનો રોડ નેશનલ હાઇવે બનશે.
ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલે રાજ્યમાં ટોલ ફ્રી હાઇવેની જાહેરાત કરી હતી પરંતુ, નવા જાહેર થયેલા નેશનલ હાઇવે ટોલ ટેક્સ ફ્રી હશે એવી સ્પષ્ટતા કરવામાં આવી નથી. નવા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સની વસુલાતથી ફરી એક વાર પરિવહન મોંધુ બની શકે છે.
મોદીએ કરેલી આ જાહેરાતના કારણે ગુજરાતીઓએ બહુ ખુશ થવા જેવું નથી કેમ કે વાસ્તવમાં આ આઠ સ્ટેટ હાઇવે નેશનલ હાઇવે બનશે તેથી લોકો પર બોજ વધશે. હાલમાં આ આઠ સ્ટેટ હાઇવે પર કોઇ ટોલ ટેક્સ લેવાતો નથી પણ નેશનલ હાઇવે બનશે તો ટોલ ટેક્સ લેવામાં આવશે.
મોદીની જાહેરાત પ્રમાણે, આગામી સમયમાં ગુજરાતના જે 8 સ્ટેટ હાઇવેને નેશનલ હાઇવેમાં પરિવર્તિત કરાશે. ગુજરાતના ખંભાળિયા-પોરબંદર, કાઠલાલ-ધનસુરા, લખપત-સાંતલપુર હાઇવેનો સમાવેશ થાય છે. આ પૈકી સાત સ્ટેટ હાઇવે સૌરાષ્ટ્રમાં અને એક મધ્ય-ઉત્તર ગુજરાતમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -