‘મારી પત્નીએ મને લગ્નનું એક પણ શારીરિક સુખ આપ્યું નથી. હું ***** થકી શારીરિક સુખ ભોગવું છું........’
આ ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે, ‘મારી પત્નીએ મને લગ્નનું એક પણ શારીરિક સુખ આપ્યું નથી. મારાં લગ્નને ૩૦થી વધુ વર્ષ થઈ ગયા છતાં મારી પત્ની તરફથી મને કોઈ શારીરિક સુખ મળ્યું નથી. હું હસ્તમૈથુન થકી શારીરિક સુખ ભોગવું છું. અવારનવાર માનસિક ત્રાસ આપતી પત્નીની કંટાળી મારી જિંદગીનો અંત લાવું છું. ’
આ બનાવની જાણ થતાં મહેસાણા તાલુકા પીઆઇ સોલંકીએ સિવિલ પહોંચી વીડિયોગ્રાફી સાથે પંચનામુ કરાવ્યું હતું. તેમને વૃદ્ધના ખિસ્સામાંથી તેમના હાથે લખેલી દોઢ પાનાની ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં વૃદ્ધે પત્ની સામે ખરાબ આક્ષેપો કરેલા છે. આ સ્યુસાઈડ નોટના આધારે પોલવીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, મહેસાણા તાલુકાના પાંચોટ ગામના ડાહ્યાભાઇ ચતુરભાઇ પટેલે ગુરુવારે બપોરે દામ્પત્ય જીવનની મુશ્કેલીઓ આગળ ધરી ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈ લીધો હતો. ગોળીઓની અસર વર્તાતાં તેમણે જ પોતાના મોબાઇલ ફોનથી 108ને જાણ કરી હતી.
તરત જ પહોંચેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે મહેસાણા સિવિલ પહોંચાડાયા હતા. જો કે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જ ઝેરની અસર થઈ ચૂકી હતી ને ડાહ્યાભાઈ અર્ધબેભાન અવસ્થામાં હતા. તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું.
મહેસાણા: પાંચોટના 60 વર્ષના ડાહ્યાભાઇ ચતુરભાઇ પટેલ નામના વૃદ્ધે જીવનથી કંટાળી ઊંઘની સંખ્યાબંધ ગોળીઓ કરી આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે. મૃતકના ખિસ્સામાંથી એક અરજી મળી આવી છે કે જેમાં તેમણે પોતાનાં પત્નિ અને સાસરિયાં સામે ભયંકર આક્ષેપો કર્યા છે.