માળીયા હાટીનાના પીપળવા ગામે ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે કર્યો આપધાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Nov 2018 08:17 AM (IST)
1
અમદાવાદ: રાજ્યમાં ખેડૂતો પાક નિષ્ફળ જવાના ડરથી આપધાત કરી રહ્યા છે. રાજ્યમાં દિવસે ને દિવસે ધરતીપુત્રો હિમ્મત હારી રહ્યાં છે, બીજી બાજુ સરકાર હજુ પ્લાનિંગ જ કરી રહી છે, છેલ્લા 3 દિવસમાં પાંચ ખેડૂતોના આપઘાતથી રાજ્યમાં ચકચાર મચી છે.
2
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પીપળવા ગામે ચીમન ગોવિંદ સોલંકી નામના ખેડૂતે આપઘાત કર્યો છે. ખેડૂતે આંબાના બગીચા માટે લોન લીધી હતી, પરંતુ પાક નિષ્ફળ જતા ખેડૂત દેવામાં ડુબી ગયા અને આર્થિક સંકડામણને લઈ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
3
પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને મૃતદેહ કબ્જે લીધો હતો અને મૃતદેહને PM માટે માળીયા સરકારી દવાખાને મોકલાયો હતો. આ સાથે જ, માળીયા હાટીના પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.