પિયરમાંથી પત્નીને તેડવા ગયેલા પતિ માટે સસરા બન્યાં ‘યમરાજ’, ધારિયાના ઘા ઝીંકી કરી હત્યા
ગઈકાલે રાત્રે માનવ તેની પત્ની જમીલાને તેડવા માટે માંડવા ગામે આવ્યો હતો. દરમિયાન સસરા અને જમાઈ વચ્ચે જમીલાને શારીરિક - માનસિક ત્રાસ આપવાના મામલે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ જમાઈએ સસરાનું ઘર સળગાવવાની કોશિશ કરી હતી.
ઘટનાની વિગત મુજબ, અંકલેશ્વરના માંડવા ગામે રહેતા કરમશી પટેલની પુત્રી જમીલાના લગ્ન જંબુસર ખાતે રહેતા માનવ ગોહિલ સાથે થયા હતાં. લગ્નના થોડા સમય બાદથી માનવ અવાર નવાર જમીલાને શારીરિક-માનસીક ત્રાસ આપતો હતો. જેના કારણે જમીલા પોતાના પિયર આવી ગઈ હતી.
જમાઈની આ હરકત બાદ સસરાએ પણ મગજ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને નજીકમાં પડેલા ધારિયા વડે જમાઈના માથાના પાછળના ભાગમાં પ્રહાર કર્યો હતો. જેના કારણે જમાઈને લોહી નીકળવા માંડ્યું હતું અને ત્યાં જ પડી ગયા હતા.
સસરાના હાથે જમાઇની હત્યા થઇ હોવાની વાત વિસ્તારમાં પ્રસરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. લોકો દ્વારા સસરા પર આ ઘટના અંગે ફીટકાર વરસાવવામાં આવ્યો હતો..
ઘટનાની જાણ થતાં અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો પણ બનાવની જગ્યાએ ધસી આવ્યો હતો. પોલીસે મૃતકના દેહને પીએમ માટે ખસેડી સસરા સામે હત્યાનો ગુનો નોંધી સસરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. (પાત્રોના નામ બદલવામાં આવ્યા છે, તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
અંકલેશ્વરઃ અંકલેશ્વરના માંડવા ગામે સસરા દ્વારા જમાઇની હત્યા કરી હોવાની ઘટના બની છે. પિયરમાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા પતિ અને તેના સસરા વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે આવેશમાં આવી જઈ જમાઈએ સસરાનું ઘર સળગાવવાની કોશિશ કરી હતી. જમાઇની હરકતથી ઉશ્કેરાયેલા સસરાએ ધારિયાના ઘા ઝિંકી જમાઇને મોતને ઘાટ ઉતારી દીધો હતો.