✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતથી સૌરાષ્ટ્ર જવા વડોદરા-અમદાવાદ નહીં આવવું પડે, જાણો કેમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 May 2017 01:49 PM (IST)
1

આ સફળતા બાદ અન્‍ય રૂટસ પર પણ અમે ફેરી સર્વિસ આપવાની દિશામાં અભ્‍યાસ પૂર્ણ કર્યા છે અને ત્‍યાર પછીની કામગીરી ચાલી રહી છે. જામનગર-મુન્‍દ્રા, સુરત-મહુવા, સુરત-વિકટર, દમણ-દીવ રૂટ શરૂ અંગે કામગીરી તેજ કરાઇ છે. આ ઉપરાંત સુરતથી ઘોઘા-મહુવા કે જાફરાબાદ જેવા સ્‍થળો અંગે પણ અભ્‍યાસ કરાશે.

2

કચ્‍છ સાગરસેતુ અંતર્ગત ગુજરાત મેરી ટાઇમ બોર્ડ (જીએમબી) સાથે શરૂ કરાયેલી ઓખા-માંડવી ફેરીએ અત્‍યાર સુધી ર૦૦થી વધુ ટ્રિપ પૂર્ણ કરી છે અને આગામી દિવસોમાં તે તેની રપ૦મી ફેરી સેવા પૂર્ણ કરશે. આ અંગે વધુ માહિતી આપતા આ પ્રોજેકટ સાથે સંકળાયેલા દ્વારકા-કચ્‍છ ફેરી એનડ ટૂરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેકટર અને મરીન એન્‍જિનિયર રાજેશ દોશીએ જણાવ્‍યું હતું કે, અમે સફળતાપૂર્વક આટલા સમયથી પ્રવાસીઓને સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ સુધી લઇ જઇને ખરા અર્થમાં સાગરસેતુ બન્‍યા છીએ. હવે નવા રૂટ દ્વારા સૌરાષ્‍ટ્ર દર્શનથી સાથે સાથે ઓછા સમયની મુસાફરીથી કચ્‍છ દર્શનનો પણ લાભ લઇ શકાશે. આમ ઓખા-કચ્‍છની ફેરી સર્વિસ એ નેશનલ એકસપ્રેસ-વેની ગરજ સારી રહી છે.

3

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છને જોડતા માંડવી-ઓખા ફેરી બોટ સેવાને સારો પ્રતિસાદ મળ્યો છે. તેને ધ્યાનમાં રાખીને વધુ ચાર જેટલી ફેરી સર્વિસ રૂટ શરૂ કરવા માટે ચક્રિ ગતિમાન કરાયા છે. ટૂંક સમયમાં જામનગર-મુન્‍દ્રા, સુરત-મહુવા, સુરત-વિકટર, દમણ-દીવ રૂટ પણ શરૂ કરાશે. આ નવા રૂટ માટે ફેરી સર્વિસ આપી શકે તેવા નોર્વેના જહાજને ખરીદવાની કામગીરી હાથ ધરાઇ છે.

4

પ્રાપ્ત માહિતી અનુસાર માંડવીના જહાજ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર શૈલેશ મડિયારે માંડવીને સૌરાષ્‍ટ્ર સાથે જોડતી ફેરી સર્વિસ માટે રસ દાખવ્‍યો છે. તેમણે નોર્વેમાં નવી ફેરી સર્વિસ માટે શિપની ખરીદીની દિશામાં કામગીરી આગળ ધપાવી છે.

5

નોર્વેનું જહાજ દુબઇના રૂટથી ટૂંક સમયમાં માંડવીના કિનારે આવે તેવી ધારણા છે. તેમ કચ્‍છ-સૌરાષ્‍ટ્ર સાગરસેતુ પ્રોજેકટના ડિરેકટર રાજેશ દોશીએ ઉમેર્યું હતું. હાલમાં ૮૦ સુવિધા ધરાવતી અને ર૯૦ પેસેન્‍જર માટેની સીટીંગ વ્‍યવસ્‍થા ધરાવતી ઓખા (દ્વારકા)થી કચ્‍છની ફેરી સર્વિસ માત્ર ત્રણ કલાકમાં કચ્‍છ પહોંચે છે, જયારે રોડ માર્ગે ૧ર કલાકનો સમય થાય છે.

  • હોમ
  • ગુજરાત
  • સુરતથી સૌરાષ્ટ્ર જવા વડોદરા-અમદાવાદ નહીં આવવું પડે, જાણો કેમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.