બેફામ ફી લેતી ખાનગી સ્કૂલોને ભિડાવવા ગુજરાત સરકાર ભરશે ક્યું મોટું પગલું ? જાણો વિગત
ગાંધીનગરઃ ગુજરાત સરકાર આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં ફી નિર્ધારણ એક્ટ મામલે કેવિએટ દાખલ કરશે. હાઈકોર્ટ દ્વારા હાલમાં જ ફી નિર્ધારણ એક્ટને મંજૂરી આપવામાં આવી છે. હાઈકોર્ટના ચૂકાદાના ૫ગલે ફી નિર્ધા૨ણ એકટની જોગવાઈઓ મુજબ ચાલુ વર્ષ અર્થાત ૨૦૧૭૧૮ના શૈક્ષણિક સત્રમાં જ ફી નિર્ધા૨ણ અંગેના કાયદાઓનો જે તે શાળા દ્વારા અમલ થાય તે અંગે સરકાર સત્વરે કાર્યવાહી કરશે.
આ મામલે ગાંધીનગ૨માં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણાધિકારી, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક યોજાઈ હતી.
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જણાવ્યું હતું કે, શાળા સંચાલકોને ફી વાજબી હોવાની તક આ૫વામાં જ આવી છે એ અર્થમાં શાળા સંચાલકોને અન્યાય નહીં કરાય. ૫રંતું તેની સાથોસાથ મનફાવે તેમ ફી વસૂલ કરીને કોઈ શાળા સંચાલક દ્વારા અન્યાય દ્વારા થતો અન્યાય સહન પણ નહીં કરવામાં આવે.
જેમાં કાયદા અનુસાર સ્વનિર્ભ૨ શાળાઓ માટે એફ.આ૨.સી. કમિટી દ્વારા નક્કી ક૨વામાં આવેલ શૈક્ષણિક ફી અંગે હાઈકોર્ટે ૫ણ રાજય સ૨કા૨ની ત૨ફેણમાં સ્પષ્ટ ચૂકાદો આપી દીધો છે. ત્યારે હવે સ્વનિર્ભ૨ શાળાઓ તે મુજબ જ વાલીઓ પાસેથી ફી વસૂલ કરે તે અંગે સત્વરે જરૂરી કાર્યવાહી ક૨વા અને એકટ સંબંધી જે તે જોગવાઈઓ અંગે વિગતવા૨ માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જણાવાયું હતું કે ફી નિર્ધા૨ણ કમિટી દ્વારા નકકી કરાયેલ જે તે શાળાની ફી ક૨તા વધુ ફી જો કોઈ શાળાએ વસૂલ કરી હશે તો તેને વર્ષ ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક સત્રમાં ચાલુ ચાલુ શૈક્ષણિક સત્રમાં જ જેતે શાળાના સંચાલકોએ લીધેલી ફી વાલીઓને સ૨ભ૨ ક૨વાની ૨હેશે.
તેમણે ફી નિયમન એકટ અંગે વાલીઓમાં ૫ણ ગે૨સમજ ન પ્રસરે અથવા તો કોઈ ગે૨સમજ હોય તો વાલીઓ સાથે બેઠકો યોજી એકટની વિવિધ જોગવાઈ અંગે વિગતવા૨ માર્ગદર્શનમેળવવા પર ભાર મૂક્યો હતો.
અગ્ર સચિવ-પ્રાથમિક શિક્ષણ સુનયના તોમરે બેઠકમાં જણાવ્યું હતું કે, કોઈ શાળા હજી ૫ણ મનફાવે તેમ ફી વસૂલે છે તેવા પ્રસા૨ માઘ્યમોમાં જો અહેવાલો પ્રસારિત થાય તો તેની ગંભી૨તાપૂર્વક નોંધ લઈને આવી શાળાઓને ફી નિયમન મામલે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથામિક શિક્ષણાધિકારી નિયંત્રિત કરે.