શિવસેનાએ ગુજરાતમાં જાહેર કર્યા 28 ઉમેદવારો, જાણો કોણ કઈ બેઠક પર લડશે, જાણો વિગત
25) કતારગામ બળવંત એચ.વરિયા. 26) સુરત (પશ્ચિમ) પ્રશાંત લોકરે. 27) ચોર્યાસી અરવિંદ રાજપૂત. 28) પારડી આબાજી જાધવ.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ પક્ષો દ્વારા ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં સત્તામાં ભાજપ સાથે સાથીપક્ષ હોવા છતાં હંમેશા વિરોધપક્ષી ભૂમિકા ભજવનાર શિવસેનાએ હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી ભાજપના મત કાપવાનો વ્યૂહ રચના ઘડી કાઢી છે.
18) બોટાદ સૂરાભાઈ ખંભાળિયા. 19) ભરૂચ વિરલ ગોહેલ. 20) ઓલપાડ વિજય આર.પટેલ. 21) કામરેજ નરેન્દ્ર સોરઠિયા. 22) લિંબાયત સમ્રાટ એ. પાટીલ. 23) ઉધના વિલાસ એસ.પાટીલ. 24) મજૂરા જિગર વ્યાસ.
12) જામનગર (દક્ષિણ) બ્રિજેશ વી.નંદા. 13) ખંભાળિયા માલદેવ પોસ્તરિયા. 14) દ્વારકા યક્ષરાજ એમ.પરમાર. 15) પોરબંદર રાજેશ જી. પંડ્યા. 16) ધારી જયદીપ વાળા. 17) ભાવનગર (પશ્ચિમ) સંજય મકવાણા.
7) રાજકોટ (દક્ષિણ) પ્રસન્ન કાલાવાડિયા. 8) જસદણ હસમુખ એન.સાકોરિયા. 9) ગોંડલ કિશોરભાઈ વીરોડિયા. 10) જામનગર (ગ્રામીણ) ઓલમચંદ આર. હરણિયા. 11) જામનગર (ઉત્તર) દીપક ચાવડા.
1) માંડવી જયેશ પ્રવિણચંદ્ર વોરા. 2) ભુજ મધુભાઈ સોઢા. 3) વઢવાણ કિશોરસિંહ ઝાલા. 4) મોરબી દીપક.જી.ઘોઘરા (ચાવડા). 5) વાંકાનેર મેહુલભાઈ પનારા. 6) રાજકોટ (પશ્ચિમ) કેતન ચંદારાણા.
ચૂંટણી પંચના નિયમો પ્રમાણે પક્ષના ઉમેદવારોનો પ્રચાર કરવા જનારા નેતાઓની યાદી પણ ચૂંટણી પંચને સુપરત કરવી પડે છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે સહિત કુલ 20 નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
શિવસેનાએ ગુજરાત વિધાનસભાની 28 બેઠકો પર ચૂંટણી લડનારા તેના ઉમેદવારોની યાદી બહાર પાડી છે. શિવસેનાના પ્રવક્તા હેમરાજ શાહે ગુજરાતમાં શિવસેનાના ઉમેદવારોનો પ્રચાર કરવા જનારા શિવસેનાના નેતાઓની યાદી પણ બહાર પાડી હતી. ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ શિવસેનાના નેતાઓ પ્રચાર કરશે.