પુત્રને ટિકિટ ના મળતાં ભાજપના ક્યા જૂના જોગીએ આપ્યું રાજીનામું, પુત્ર પાસે કરાવી અપક્ષ ઉમેદવારી?
દક્ષિણ ગુજરાતનાં આ બન્ને કદાવર ગણાતા નેતાઓએ હાઈકમાન્ડ પર મોટું દબાણ કર્યું હતું. જોકે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી હાઈકમાન્ડે તમામ પાસા-પરિબળોને ધ્યાનમાં લીધા હતા. આમ છતાં છેલ્લી ઘડી સુધી નામ નક્કી થઈ શક્યું નહોતું.
સૂત્રો જણાવે છે કે ભાજપે માજી મંત્રી મંગુ પટેલની ગણદેવીની ટિકિટ કાપી હતી. જ્યારે કાનજીભાઈ પોતાના પુત્રને નવસારીની ટિકિટ અપાવવા માગતા હતા. એક સમયનાં કટ્ટર હરીફો મંગુભાઈ અને કાનજીભાઈ એક થઈ ગયા હતા. મંગુભાઈએ પણ કાનજીભાઈના પુત્રને નવસારીથી ટિકિટ આપવાની ભલામણ કરી હતી.
આખરે ભાજપ હાઈકમાન્ડે સીટીંગ ધારાસભ્ય પિયુષ દેસાઈને જ 'રીપિટ' કરવાનો નિર્ણય કરી મેન્ડેટ આપી દીધો હતો. જેનાથી નારાજ થઈને ભાજપ સરકારનાં ભૂતપૂર્વ મંત્રી કાનજી પટેલ અને તેમનાં પુત્ર સુનીલ પટેલે ભાજપમાંથી રાજીનામા આપી દીધા હતા. ભાજપ હાઈકમાન્ડે ખૂબ મથામણ કર્યા બાદ મંગળવારે સવારે પિયુષ દેસાઈને રિપીટ કર્યા હતા.
વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ૨૧મી નવેમ્બરે છેલ્લો દિવસ હતો. તેમ છતાં ભાજપ નવસારીની બેઠક પર કોને ટિકિટ આપવી તે છેલ્લા દિવસ સુધી નક્કી કરી શકી નહોતી.
ફોર્મ ભરવાના અંતિમ દિવસે એટલે કે મંગળવારે હાઈકમાન્ડે દબાણને તાબે થયા વિના જ સીટીંગ ધારાસભ્ય પિયુષ દેસાઈને મેન્ડેટ આપી દીધો હતો. આ નિર્ણયથી નારાજ થયેલા અને ભાજપમાં ખૂબ જ સીનિયર ગણાતા કાનજીભાઈએ પોતાના પુત્ર સાથે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું. એટલું જ નહીં પુત્ર સુનીલને અપક્ષ તરીકે નવસારીની બેઠક પરથી જ ફોર્મ ભરાવતા હવે ભાજપને આ બેઠક જીતવા વધુ મહેનત કરવી પડશે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના વરિષ્ટ નેતાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ કાનજીભાઈ પટેલ અને તેના પુત્ર સુનીલ પટેલે ભાજપ છોડી દીધી છે. કાનજીભાઈ પટેલ ટિકિટ ફાળવણીથી નારાજ હતા.