ગુજરાત બજેટઃ શ્રમિક અન્નપૂર્ણા યોજનાને લઈ શું થઈ જાહેરાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Feb 2018 04:50 PM (IST)
1
આ ઉપરાંત શ્રમયોગીઓના આરોગ્યની તપાસ માટે 22 નવા ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓ શરૂ કરવા સહિત કુલ 18 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
2
બાંધકામ શ્રમયોગીઓને સ્ટીલના વાસણોનો સેટ આપવા રૂ. 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
3
બજેટમાં કરેલી જાહેરાત મુજબ હાલના 87 ભોજન કેન્દ્રો ઉપરાંત નવા 51 ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે. જે માટે કુલ 80 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
4
ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે રજૂ કરેલા બજેટમાં ખેડૂતો અને શ્રમિકોનું વિશેષ ધ્યાન રાખ્યું હતું. શ્રમિક અન્નપૂર્ણા યોજનાને મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખી વધુ શ્રમિકોને યોજનાનો લાભ પહોંચાડવા નવા ભોજન કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.