✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રૂપાણી સરકારે સરકારી કર્મચારીઓને આડકતરી રીતે ગણાવ્યા 'કામચોર', જાણો શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2018 12:21 PM (IST)
1

રૂપાણીએ દુઃખ સાથે કહ્યું કે અમૂક સમયે દુઃખ થાય છે કે, પ્રોબેશન પીરિયડ પુરો પણ ના થયો હોય અને એ કર્મચારી સામે બે રેડ પડી ગઈ હોય, હંમેશા શોર્ટકટ નુકશાનકારક સાબિત થાય છે.

2

રૂપાણીએ કહ્યું કે, હવે સરકારી કામગીરીમાં બેદરકારી નહીં ચાલે, ટેક્નોલોજીના આધારે મૂલ્યાંકન થઈ રહ્યું છે, સિસ્ટમ ગોઠવાતી જાય છે, હવે ગાપચી મારવાનું નહીં ચાલે. આખા રાજયમાં કર્મચારીઓના ટેકનોલોજીકલ મૂલ્યાંકનનો વ્યાપ આગામી દિવસોમાં વધારવામાં આવશે

3

રૂપાણીએ સરકારની જવાબદારીને લઇને કહ્યું કે, માત્ર મુખ્યમંત્રી જ નહીં સરકાર આખી સંવેદનશીલ છે, પગાર વધી ગયા છે, ફિક્સ પેમાં પણ સુધારા કર્યા છે, એ કર્મચારીઓનો અધિકાર છે, એમાં કોઈ ઉપકાર નથી.

4

ફી મામલે પણ મુખ્યમંત્રીએ વાલીઓને હૈયાધારણા આપતા કહ્યું કે, વાલીઓ થોડી શાંતિ રાખે, શાળાઓ ફી વધારે લેશે તેને પાછી અપાવવા સરકાર સક્ષમ છે. હાલ શાળાઓ જે ફી વસૂલે છે. તે પ્રોવિઝનલ ફી છે.

5

ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં ભારે ધમાલ બાદ અધ્યક્ષે કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોને સસ્પેંડ કર્યા છે, ત્યારે કૉંગ્રેસે ત્રણ વર્ષનું સસ્પેંશન ઘટાડી સત્ર પૂરતુ રાખવાની માગ કરી છે.

6

ઉપરાંત સીએમ રૂપાણીએ વિધાનસભા મામલે પણ પોતાનું નિવેદન આપ્યું, તેમને કારોબારી સલાહકાર સમિતિની બેઠક બાદ કહ્યું કે, વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચાની માગણી એ કમનસીબ કહેવાય.

7

રૂપાણીએ કહ્યું કે, સરકારી કર્મચારીઓને ટકોર કરતાં કહ્યું કે, ખાનગી ક્ષેત્રમાં નોકરીમાંથી ગમે ત્યારે કાઢી મુકવામાં આવે છે, પરંતુ સરકારી નોકરીમાં કામ કરીએ કે ન કરીએ તો પણ નોકરી તો જવાની નથી, આવી માનસિકતામાંથી દરેક સરકારી કર્મચારીઓએ બહાર આવવું જોઇએ.

8

ગાંધીનગરઃ સરકારી સેવામાં નિમણૂંક પત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ સરકારી કર્મચારીઓ પર કટાક્ષ કર્યો, તેમને નિવેદન આપતા કહ્યું કે, સરકારી નોકરી મળી એટલે આરામથી કામ કરવાનું તે માનસિકતા છોડવી પડશે, સરકારી કર્મચારીઓને આમ આડકતરી રીતે કામચોર ગણાવ્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • રૂપાણી સરકારે સરકારી કર્મચારીઓને આડકતરી રીતે ગણાવ્યા 'કામચોર', જાણો શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.